Sankat Chauth(Angarki Chauth): આજે 21 ચોથનુ ફળ આપતી અંગારકી ચોથ, જાણો તમારા શહેરમાં ચાંદ નીકળવાનો સમય
આજે સંકટ ચોથની સાથે અંગારકી ચોથ પણ છે. આજના દિવસે વ્રત રાખવાથી 21 ચોથ કર્યાનુ ફળ મળે છે.
Sankat Chauth(Moonrise Timing): માઘ મહિનાના પવિત્ર મહિનામાં આજે ભગવાન ગણેશની કૃપા મેળવવાનો સૌથી ઉત્તમ દિવસ છે. આજે પોષ વદ ચોથ હોવાથી તે અંગારકી સંકટ ચોથ બને છે. આ દિવસે 21 ચોથ કર્યાનુ ફળ મળે છે. આજના દિવસે મહિલાઓ આખા દિવસનુ વ્રત રાખે છે અને ગણપતિની પૂજા કરે છે અને સાંજે ચાંદ જોઈને તેને અર્ધ્ય આપીને પોતાનુ વ્રત ખોલે છે.

દૂર થાય છે બધા સંકટ
વિક્રમ સંવત 2079માં આ એકમાત્ર અંગારકી સંકટ ચોથ છે. આ શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી લાંબા સમયથી અટકેલા કાર્યો નિર્વિઘ્ને પૂરા થાય છે. કોઈ સંકટ આવતુ નથી અને તે ગણેશજીની જેમ બુદ્ધિમાન અને જ્ઞાની બને છે. આ વ્રતને તિલકુટ ચોથ પણ કહેવાય છે કારણકે આમાં ભગવાન ગણેશને તલના લાડુઓનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

વ્રતની તિથિ અને પૂજા વિધિ
વ્રતની તિથિ
10 જાન્યુઆરી બપોરે 12.09 વાગ્યાથી 11 જાન્યુઆરી બપોરે 2.30 વાગ્યા સુધી
પૂજા વિધિ
સંકટ ચતુર્થીના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા.
ભગવાન ગણેશનુ ધ્યાન ધરીને વ્રતનો સંકલ્પ લેવો.
ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવી.
સંકટ ચતુર્થીની સાંજે ચંદ્રમાના દર્શન કરીને વ્રત ખોલવુ.

ચંદ્રોદયનો સમય
આ દિવસે ચંદ્ર દર્શન માટે ખૂબ રાહ જોવી પડે છે. અહીં જુઓ વિવિધ શહેરમાં ચંદ્રોદયનો સમય.
નવી દિલ્લીઃ 08:41 pm
લખનઉ, ઉત્તર પ્રદેશ: 08:28 pm
ચંદીગઢ: 08:39 pm
ભુવનેશ્વર, ઓડિશા: 08:17 pm
શિમલા, હિમાચલ પ્રદેશ: 08:37 pm
દેહરાદૂન, ઉત્તરાખંડ: 08:35 pm
રાંચી , ઝારખંડ: 08:15 pm
પુણે, મહારાષ્ટ્ર: 09:09 pm
નાગપુર, મહારાષ્ટ્ર: 08:44 pm
જયપુર, રાજસ્થાન: 08:50 pm
અમદાવાદ, ગુજરાત: 09:08 pm
પટના, બિહાર: 08:13 pm
મુંબઈ, મહારાષ્ટ્ર: 09:13 pm
બેંગલુરુ, કર્ણાટક: 09:01 pm
ભોપાલ, મધ્ય પ્રદેશ: 08:48 pm
રાયપુર, છત્તીસગઢ: 08:33 pm
હૈદરાબાદ, તેલંગાણા: 08:52 pm
ચેન્નાઈ, તમિલનાડુ: 08:50 pm
કોલકાતા, પશ્ચિમ બંગાળ: 08:04 pm












Click it and Unblock the Notifications
