Sarva Pitru Amavasya 2022: 25 સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાસ પર ત્રિવેણી પૂજનથી દૂર થશે બધા સંકટ
સર્વપિતૃ અમાસ 25 સપ્ટેમ્બર 2022 રવિવારના રોજ આવી રહી છે. દરેક પ્રકારની મુશ્કેલી દૂર કરવા માટે આ દિવસે ત્રિવેણી પૂજા કરવી જોઈએ. જાણો તેનુ મહત્વ.
નવી દિલ્લીઃ સર્વપિતૃ અમાસ 25 સપ્ટેમ્બર 2022 રવિવારના રોજ આવી રહી છે. દરેક પ્રકારની મુશ્કેલી દૂર કરવા માટે આ દિવસે ત્રિવેણી પૂજા કરવી જોઈએ. ત્રિવેણી એટલે ત્રણ દૈવી વૃક્ષોનો સંગમ. જેમાં વડ, પીપળો અને લીમડાનો સમાવેશ થાય છે. જ્યાં આ ત્રણ વૃક્ષો એક જ મૂળ સાથે જોડાયેલા હોય તે સ્થાન ત્રિવેણી બની જાય છે. સર્વપિતૃ અમાસના દિવસે આ ત્રિવેણીની પૂજા કરવાથી અનેક લાભ મળે છે.

ત્રિવેણીમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે તેથી તેમની પૂજા કરવાથી ત્રણેય દેવોની પૂજા થાય છે. ઘણા લોકો કહી શકે કે રવિવારે પીપળાના ઝાડને સ્પર્શ કરવામાં આવતો નથી પરંતુ કોઈ ખાસ તહેવારમાં પૂજા અને સ્પર્શ કરવાથી કોઈ દોષ લાગતો નથી. સર્વ પિતૃ અમાસ એક મોટો તહેવાર છે. આ દિવસે સવારે 6.20થી 5.56 સુધી સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે. સાથે જ શુભ યોગ પણ બનશે.
કેવી રીતે કરશો ત્રિવેણી પૂજન
સર્વપિતૃ અમાસના દિવસે ત્રિવેણી વૃક્ષના મૂળમાં શુદ્ધ જળ,ગાયનુ કાચુ દૂધ, લાલ ફૂલ અને સાકરનુ મિશ્રણ કરીને અર્પણ કરો. વિવિધ વસ્તુઓ વડે વૃક્ષની પૂજા કરો. ઝાડની 108 પરિક્રમા કરતી વખતે ભગવાન નારાયણના 108 નામનો જાપ કરો અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. અથવા ऊं नमो नारायणाय, या ऊं नमो भगवते वासुदेवाय नम: મંત્રનો જાપ કરતા રહો.
ત્રિવેણી પૂજનના લાભ
- આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે.
- ત્રિવેણીની પૂજા કરવાથી ગ્રહોની પીડા દૂર થાય છે.
- ત્રિવેણી પૂજા શુભ વિચારોની પરિપૂર્ણતા તરફ દોરી જાય છે.
- દર્દીના રોગ મટી જાય છે.
- ઉંમર અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય.
- જે હેતુ માટે સંકલ્પ સાથે પૂજા કરવામાં આવે છે તે હેતુ સિદ્ધ થાય છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
