ગુરુ, શુક્ર અને શનિ ત્રણેય ગ્રહ થઈ રહ્યા છે વક્રી, ઉથલ પાથલ મચશે
ગુરુ, શુક્ર અને શનિ ત્રણેય ગ્રહ થઈ રહ્યા છે વક્રી, ઉથલ પાથલ મચશે
નવી દિલ્હીઃ ગુરુ, શુક્ર અને શનિ ત્રમ ગ્રહ વક્રી થઈ રહ્યા છે, જેનાથી ઉથલ પાછળ મચશે, જાણો શું સ્થિતિ છે.
- શનિ 11 મે 2020, સોમવારે સવારે 9.40 વાગ્યે મકરમાં વક્રી, 29 સપ્ટેમ્બર 2020ના રોજ સવારે 10.44 વાગ્યે માર્ગી, કુલ 142 દિવસ.
- શુક્ર 13 મે 2020, બુધવારે બપોરે 12.17 વાગ્યે વૃષભમાં વક્રી, 25 જૂન 2020ના રોજ બપોરે 12.21 વાગ્યે માર્ગી, કુલ 44 દિવસ
- ગુરુ 14 મે 2020, ગુરુવારે 9.05 વાગ્યે મકરમાં વક્રી, 13 સપ્ટેમ્બર 2020ના રોજ સવારે 6.10 વાગ્યે માર્ગી, કુલ 122 દિવસ
- સૂર્ય 14 મે 2020ના રોજ ગુરુવારે સાંજે 5.16 વાગ્યે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.
ત્રણ ગ્રહ વક્રી થઈ રહ્યા છે
ત્રણ મોટા અને પ્રમુખ ગ્રહો વક્રી થવાની પ્રકૃતિ, પર્યાવરણ અને સામાન્યજન માટે ઉથલ પાથલ મચાવનાર સાબિત થઈ શકે છે. મકર રાશિમાં ચાલી રહેલ શનિ 11 મેના રોજ વક્રી થઈ જશે. વૃષભ રાષિમાં ચાલી રહેલ શુક્ર 13 મેના રોજ વક્રી થશે અને મકર રાશિમાં ચાલી રહેલ ગુરુ 14 મેના રોજ વક્રી થઈ જશે. આ ત્રણ ગ્રહોને એક જ અઠવાડિયામાં વક્રી થવું ભારે સંકટવાળું સાબિત થશે. દુર્ભિક્ષ, પ્રાકૃતિક આપદાઓ, ભૂકંપ, વાહન-દુર્ઘટનાઓ, અગ્નિકાંડ, અચાનક કેટલીય આપદાઓમાં જનહાની, જળ પ્રલય, રોગોમાં વધારો અને અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચાવનારું સાબિત થશે. વર્તમાનમાં જે પરિસ્થિતિઓ ચાલી રહી છે, આ ગ્રહોના વક્રી થવાથી તેમાં વૃદ્ધિની સંભાવના છે.
શનિ વક્રી
અર્થાત શનિના વક્રી થવાથી દેશ-દુનિયામાં દુર્ભિક્ષ વધે છે. મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થાય ચે. પ્રલય જેવી ઘટનાઓ હોય ચે. પ્રચંડ ગર્મી હોય ચે. લોકો બેહાલ હોય છે.
ગુરુ વક્રે સ્થિર રોગો
અર્થાત ગુરુના વક્રી થવાથી રોગોમાં વધારો થાય છે.
શુક્ર વક્ર મહર્ઘતા
અર્થાત શુક્રના વક્રી થવા પર પૃથ્વી પર ઘાતક પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે. અનેક લોકોના જીવ જાય છે. દક્ષિણ-પશ્ચિમ પ્રદેશો માટે ભયંકર સ્થિતિ ઉત્પન્ન થાય છે.
સમય વધુ ઘાતક
ગ્રહોની વક્રી હોવાના સંબંધમાં ઉપરોક્ત શ્લોકોને જોવામાં આવે તો આ સ્પષ્ટ છે કે વર્તમાનમાં ચાલી રહેલ કોરોના નામની મહામારીમાં વધારો થવાની આશંકા છે. શનિવારે 11 મેથી 29 સપ્ટેમ્બર સુધી કુલ 142 દિવસ વક્રી રહેશે. શુક્ર 13 મેથી 25 જૂન સુધી કુલ 44 દિવસ વક્રી રહેશે. શુક્ર 13 મેથી 25 જૂન સુધી કુલ 44 દિવસ વક્રી રહેશે. આવી રીતે ગુરુ 14 મેથી 13 સપ્ટેમ્બર સુધી 133 દિવસ વક્રી રહેશે. જો આ ગ્રહ પરિસ્થિતિઓને કોરોનાના સંદર્ભમાં જોવામાં આવે તો આ મહામારીથી 29 સપ્ટેમ્બર બાદ જ રાહત મળવાના અણસાર છે. તેમાં પણ 25 જૂન બાદનો સમય વધુ ઘાતક સાબિત થઈ શકે છે.
નવો રોગ ઉભરી શકે છે
શનિ અને ગુરુ એક જ રાશિમાં સ્થિર થઈ વક્રી થવાથી આ વાતનો સંકેત આપી રહ્યા છે કે કોરોના ઉપરાંત અન્ય પ્રકારના કોઈ રોગ ઉભરી આવવાની આશંકા પ્રબળ થઈ રહી છે. અથવા કોઈ જૂના રોગો જ ફરીથી પગ પેસારો કરી શકે છે, જેના પ્રભાવથી જનતા બેહાલ થશે. આ સમયે રાષ્ટ્રમાં તો મતભેદ ચરમ પર રહેશે. યુદ્ધ જેવા હાલાત પણ બની શકે છે. દુનિયાની અર્થવ્યવસ્થામાં જબરદસ્ત રીતે ગિરાવટ જોવા મળશે. વિમાન અને રેલવે દુર્ઘટના, ભીષણ અગ્નિકાંડ, પરમાણુ વિસ્ફોટ, સમુદ્રમાં ઉથલ પાથલ, આંધી તોફાન, અતિવૃષ્ટિની આશંકા પણ છે. શનિ-ગુરુનો દ્વંદ્વ યોગ આ તમામ ઘટનાઓનું કારક બની શકે છે.
12 મેથી ચાલુ થતી ટ્રેનોનુ બુકિંગ આજથી શરૂ, જાણો રૂટ, સમય અને ભાડુ