Kanya Pujan 2022: નવરાત્રિમાં 3થી 9 વર્ષની કન્યાઓની કેમ થાય છે પૂજા? જાણો આની પાછળનુ કારણ
શું તમને ખબર છે કે કન્યા પૂજનમાં માત્ર 3થી 9 વર્ષની કન્યાઓની પૂજા કેમ થાય છે?
નવી દિલ્લીઃ શારદીય નવરાત્રિનો આજે આઠમો દિવસ છે. આજનો દિવસ મા દુર્ગાના 8માં સ્વરુપને સમર્પિત છે જેને મહાગૌરી કહેવામાં આવે છે. કહેવાય છે કે માની પૂજા ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી તમે કન્યા પૂજન ના કરો. જેને કંચક પણ કહેવામાં આવે છે. આજના દિવસે નાની-નાની કન્યાઓ સજી-ધજીને જ્યારે ઘરના આંગણામાં ફરે ત્યારે જાણે ખરેખર મા દુર્ગાએ બાળ સ્વરુપ ધારણ કર્યુ હોય એવુ લાગે. શું તમને ખબર છે કે કન્યા પૂજનમાં માત્ર 3થી 9 વર્ષની કન્યાઓની પૂજા કેમ થાય છે?

3થી 9 વર્ષની કન્યાઓની પૂજા કેમ થાય છે?
બાળ રુપને 3થી 9 વર્ષની વચ્ચે જ ગણવામાં આવે છે. જે રીતે માના 9 રુપોના નવ નામ છે, એવી જ રીતે 3થી 9 વર્ષની કન્યાઓને પણ અલગ-અલગ નામથી બોલાવવામાં આવે છે. 3 વર્ષની કન્યા કૌમારી, 4 વર્ષની કન્યા ત્રિમૂર્તિ, 5 વર્ષની કન્યા કલ્યાણી, 6 વર્ષની કન્યા રોહિણી, 7 વર્ષની કન્યા ચંડિકા, 8 વર્ષની કન્યા શામ્ભવી અને 9 વર્ષની કન્યા સિદ્ધિદાત્રીનુ સ્વરુપ ગણાય છે.

માનવીને દરેક કષ્ટમાંથી મળે છે મુક્તિ
કન્યાઓના આ અલગ-અલગ રુપોની પૂજા કરવાથી માનનવીને દરેક કષ્ટમાંથી મુક્તિ મળે છે. તેના બધા દુઃખોનો અંત આવે છે. તે જે વસ્તુની ઈચ્છા રાખે તેને તે બધુ મળે છે. મા પોતાના દરેક ભક્ત પર બંને હાથે ખુશીઓ લૂંટાવે છે. મહાગૌરી પણ કોમળ હ્રદયની માતા છે જેના શરણમાં આવવાથી વ્યક્તિને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે.

સાંજે 4.37 સુધી આઠમ
તમને જણાવી દઈએ કે આજે સાંજે 4 વાગીને 37 મિનિટ સુધી જ મહાઅષ્ટમી છે. ત્યારબાદ મહાનવમી શરુ થશે. જો તમે હવન કરાવવા માંગતા હોય તો કરી શકો છે.
ગોધૂલિ મુહૂર્ત - 5.53 વાગ્યાથી 6.17 વાગ્યા સુધી
અમૃત કાળ - 7.54 વાગ્યાથી 9.25 વાગ્યા સુધી. હાલમાં રવિયોગ છે. જે સાંજે 6 વાગીને 15 મિનિટ સુધી રહેશે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
