Shardiya Navratri 2022: ઘટ સ્થાપના સાથે 26 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે શારદીય નવરાત્રિ, જાણો મુહૂર્ત
સંવત 2079 અશ્વિન શુક્લ પ્રતિપદા તારીખ 26 સપ્ટેમ્બર 2022 સોમવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. જાણો પૂજા મુહૂર્ત.
નવી દિલ્લીઃ સંવત 2079 અશ્વિન શુક્લ પ્રતિપદા તારીખ 26 સપ્ટેમ્બર 2022 સોમવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવસે સવારે 8.04 વાગ્યા સુધી શુક્લ યોગ રહેશે, ત્યારબાદ આખો દિવસ બ્રહ્મ યોગ રહેશે. આ વખતે સોમવારથી નવરાત્રિ શરૂ થવાને કારણે દેવીનુ આગમન ગજમાં થશે. આ ખૂબ જ શુભ છે. આ શુભ યોગમાં શરૂ થયેલી દેવીની પૂજા જલ્દી જ શુભ અને ફળદાયી બની રહે છે. આ વખતે નવરાત્રી નવ દિવસની રહેશે. તારીખમાં કોઈ ફેરફાર ન હોવાને કારણે નવરાત્રિના આખા નવ દિવસ સિદ્ધિ સાધના માટે ખાસ રહેશે.

ઘટ સ્થાપના મુહૂર્ત
26મી સપ્ટેમ્બરે સૂર્યોદય સવારે 6.20થી સવારે 10.20 સુધી ઘટસ્થાપન માટે શ્રેષ્ઠ સમય રહેશે.
અભિજિત મુહૂર્ત: બપોરે 11.54થી 12.42 સુધી
અમૃત: સવારે 6.20થી 7.49
શુભ : 9.19 થી 10.48 સુધી
હોરા મુજબ મુહૂર્ત
ચંદ્ર હોરા: સવારે 6.20થી 7.19
ગુરુ હોરા: સવારે 8.20થી 9.19
નવરાત્રિના દિવસ અને શુભ યોગ
26 સપ્ટેમ્બર - ઘટસ્થાપન, શારદીય નવરાત્રિનો પ્રારંભ, શૈલપુત્રી પૂજા
27 સપ્ટેમ્બર - દ્વિતિયા, બ્રહ્મચારિણી પૂજા
28 સપ્ટેમ્બર - તૃતીયા, ચંદ્રઘંટાની પૂજા
29 સપ્ટેમ્બર - ચતુર્થી, કુષ્માંડાની પૂજા
30 સપ્ટેમ્બર - પંચમી, સ્કંદમાતાની પૂજા
1 ઓક્ટોબર - ષષ્ઠી કાત્યાયની પૂજા
2 ઓક્ટોબર - સપ્તમી, કારાત્રિ પૂજી
3 ઓક્ટોબર - મહા અષ્ટમી, મહાગૌરી પૂજા
4 ઓક્ટોબર - મહાનવમી, સિદ્ધિદાત્રી પૂજા, હવન-પૂજન, નવરાત્રી ઉત્થાન












Click it and Unblock the Notifications
