શ્રાવણ સોમવાર નિમિત્તે કરો જ્યોતિર્લિંગના દર્શન
શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર ભગવાન શંકરના મંદિરે ઉમટી લોકોની ભીડ
આજે શ્રાવણ માસનાો છેલ્લો સોમવાર છે, શ્રાવણ માસમાં ભગવાન શંકરની પૂજા કરવાનો મહિમા અનેરો છે. આજે માસના છેલ્લા સોમવારે ભગવાન ભોળાનાથને રિઝવવા શુભ ફળ મેળવવા લોકો સવારથી જ પૂજા કરવા ઉમટી પડ્યા હતા. આજે રક્ષાબંધન, પુનમ અને શ્રાવણ માસના છેલ્લા સોમવારનું અનોખું સંયોજન થયું છે. આજના દિવસે કરવામાં આવતી પૂજા વ્યક્તિના જીવનમાં અનેરુ સુખ આપે છે. આથી જ આજે દેશમાં વિવિધ મંદિરોમાં શંકર ભગવાનની પૂજા માટે લોકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી હતી. આજે અમે તમને આપણા કેટલાક જ્યોતિર્લિંગોના દર્શન કરાવીશું...

કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી
ગંગા કિનારે વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર આપણા બાર જ્યોતિર્લિંગોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ભગવાન શંકરને રિઝવવા લોકો આજે સવારથી જ વારાણસી ઘાટ પર જઈને પુજા-અર્ચના કરતા જોવા મળ્યા હતા. ગંગા ઘાટ પર ડુબકી લગાવીને શિવની આરાધના કરતા નજરે ચડ્યા હતા.

મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ, ઉજ્જૈન
મહાકાલની નગરી ઉજ્જૈનમાં પણ શ્રાવણના છેલ્લા સોમવારને કારણે સવારની મંગળા આરતીમાં લોકોની માટી ભીડ જોવા મળી હતી. ઉજ્જૈનના મહાકાલેશ્વર વિશે આપણા પુરાણોમાં ઘણા ઉલ્લેખો કરવામાં આવ્યા છે. આ મંદિર આપણા બાર જ્યોતિર્લિંગમાંથી ત્રીજા જ્યોતિર્લિંગ તરીકે પુજાય આવે છે. કહેવાય છે કે, ભગવાન શંકરનું રૌદ્રરુપ અહીં જોવા મળે છે.

સોમનાથ મહાદેવ, સોમનાથ
બાર જ્યોતિર્લિંગમાં સૌથી પહેલા સોમનાથને પુજવામાં આવે છે. ભગવાન શંકરને શ્રાવણ માસ દરમિયાન અલગ શૃંગાર કરવામાં આવે છે. આ માસમાં સોમનાથ મહાદેવના દર્શન કરવાથી લોકોના જીવનમાં રહેલી સમસ્યાઓનો અંત આવે છે.

ગૌરી શંકરમંદિર, દિલ્હી
દિલ્હીના જાણીતા ગૌરીશંકર મંદિરમાં રક્ષાબંધન અને શ્રાવણના છેલ્લા સોમવારને લઈને મોટા પ્રમાણમાં ભીડ ઉમટી હતી. આ મંદિર 800 વર્ષ જુનું છે. તે દિલ્હીના ચાંદની ચોકમાં આવેલ છે. આ મંદિરનું મુખ્ય આકર્ષણ તેમાં આવેલું ભુરા રંગનું શિવલિંગ છે. દર વર્ષે શ્રાવણ માસમાં આ મંદિરે લોકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
