શ્રાવણ સોમવાર નિમિત્તે કરો જ્યોતિર્લિંગના દર્શન
શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર ભગવાન શંકરના મંદિરે ઉમટી લોકોની ભીડ
આજે શ્રાવણ માસનાો છેલ્લો સોમવાર છે, શ્રાવણ માસમાં ભગવાન શંકરની પૂજા કરવાનો મહિમા અનેરો છે. આજે માસના છેલ્લા સોમવારે ભગવાન ભોળાનાથને રિઝવવા શુભ ફળ મેળવવા લોકો સવારથી જ પૂજા કરવા ઉમટી પડ્યા હતા. આજે રક્ષાબંધન, પુનમ અને શ્રાવણ માસના છેલ્લા સોમવારનું અનોખું સંયોજન થયું છે. આજના દિવસે કરવામાં આવતી પૂજા વ્યક્તિના જીવનમાં અનેરુ સુખ આપે છે. આથી જ આજે દેશમાં વિવિધ મંદિરોમાં શંકર ભગવાનની પૂજા માટે લોકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી હતી. આજે અમે તમને આપણા કેટલાક જ્યોતિર્લિંગોના દર્શન કરાવીશું...

કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી
ગંગા કિનારે વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર આપણા બાર જ્યોતિર્લિંગોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ભગવાન શંકરને રિઝવવા લોકો આજે સવારથી જ વારાણસી ઘાટ પર જઈને પુજા-અર્ચના કરતા જોવા મળ્યા હતા. ગંગા ઘાટ પર ડુબકી લગાવીને શિવની આરાધના કરતા નજરે ચડ્યા હતા.

મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ, ઉજ્જૈન
મહાકાલની નગરી ઉજ્જૈનમાં પણ શ્રાવણના છેલ્લા સોમવારને કારણે સવારની મંગળા આરતીમાં લોકોની માટી ભીડ જોવા મળી હતી. ઉજ્જૈનના મહાકાલેશ્વર વિશે આપણા પુરાણોમાં ઘણા ઉલ્લેખો કરવામાં આવ્યા છે. આ મંદિર આપણા બાર જ્યોતિર્લિંગમાંથી ત્રીજા જ્યોતિર્લિંગ તરીકે પુજાય આવે છે. કહેવાય છે કે, ભગવાન શંકરનું રૌદ્રરુપ અહીં જોવા મળે છે.

સોમનાથ મહાદેવ, સોમનાથ
બાર જ્યોતિર્લિંગમાં સૌથી પહેલા સોમનાથને પુજવામાં આવે છે. ભગવાન શંકરને શ્રાવણ માસ દરમિયાન અલગ શૃંગાર કરવામાં આવે છે. આ માસમાં સોમનાથ મહાદેવના દર્શન કરવાથી લોકોના જીવનમાં રહેલી સમસ્યાઓનો અંત આવે છે.

ગૌરી શંકરમંદિર, દિલ્હી
દિલ્હીના જાણીતા ગૌરીશંકર મંદિરમાં રક્ષાબંધન અને શ્રાવણના છેલ્લા સોમવારને લઈને મોટા પ્રમાણમાં ભીડ ઉમટી હતી. આ મંદિર 800 વર્ષ જુનું છે. તે દિલ્હીના ચાંદની ચોકમાં આવેલ છે. આ મંદિરનું મુખ્ય આકર્ષણ તેમાં આવેલું ભુરા રંગનું શિવલિંગ છે. દર વર્ષે શ્રાવણ માસમાં આ મંદિરે લોકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
