25 ઓક્ટોબરે છે સુર્યગ્રહણ, શું દિવાળીની પુજા પર પડશે અસર?, ક્યારે લાગશે સુતક કાળ?
વર્ષ 2022નું બીજું સૂર્યગ્રહણ દિવાળીના બીજા દિવસે એટલે કે 25 ઓક્ટોબરે આંશિક ગ્રહણ છે, આ ગ્રહણ યુરોપ, ઉત્તર આફ્રિકા, મધ્ય એશિયા અને ભારત સહિત એશિયાના અન્ય પ્રદેશોમાં જોવા મળશે. ગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ વૈદિક ધર્મમાં
વર્ષ 2022નું બીજું સૂર્યગ્રહણ દિવાળીના બીજા દિવસે એટલે કે 25 ઓક્ટોબરે આંશિક ગ્રહણ છે, આ ગ્રહણ યુરોપ, ઉત્તર આફ્રિકા, મધ્ય એશિયા અને ભારત સહિત એશિયાના અન્ય પ્રદેશોમાં જોવા મળશે. ગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ વૈદિક ધર્મમાં તેને સારું માનવામાં આવતું નથી અને આ કારણોસર ગ્રહણ દરમિયાન ન તો પૂજા કરવામાં આવે છેકે ન તો શુભ કાર્યો કરવામાં આવે છે. સૂતકનો સમયગાળો પણ સૂર્યગ્રહણના 12 કલાક પહેલા શરૂ થઈ જાય છે, તેથી દીપાવલીની પૂજાને લઈને લોકોના મનમાં દુવિધા પ્રવર્તી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે 25 ઓક્ટોબરે ગ્રહણ સાંજે 4:40થી 5:24 દરમિયાન થશે. ગ્રહણનો સુતક સમયગાળો 24 ઓક્ટોબરની રાત્રે 11:28 વાગ્યાથી શરૂ થશે, તેથી આ ગ્રહણની દિવાળીની પૂજા પર કોઈ અસર નહીં થાય.

દિવાળીના બીજા દિવસે પારેવા અને ગોવર્ધન પૂજા થાય છે. પરેવામાં શુભ કાર્ય કરવામાં આવતું નથી, તેથી તેના પર આ ગ્રહણની કોઈ અસર નહીં થાય, પરંતુ ગ્રહણને કારણે ગોવર્ધન પૂજા 25 ઓક્ટોબરે નહીં પરંતુ 26 ઓક્ટોબરે થશે. આ ગ્રહણનો મોક્ષ 25 ઓક્ટોબરે સાંજે 5.24 કલાકે થશે.

'સુર્યગ્રહણ' કોને કહેવાય છે?
સુર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં હોય છે, ત્યારે સૂર્યનો પડછાયો પૃથ્વી સુધી પહોંચતો નથી અને અંધકાર હોય છે, તેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી, ત્યારે સૂર્યનો આકાર અર્ધચંદ્રાકારના રૂપમાં બની જાય છે, તો આ સ્થિતિને આંશિક સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. સૂર્યગ્રહણ ફક્ત અમાવાસના દિવસે થાય છે.

ક્યાં ક્યાં દેખાશે સુર્યગ્રહણ
સુર્યગ્રહણ ભારત, યુરોપ, ઉત્તર આફ્રિકા, મધ્ય એશિયા અને એશિયામાં દેખાશે. ભારતમાં આ અગરતલા, અમદાવાદ, અજમેર, પ્રયાગરાજ, અમૃતસર, બેંગ્લોર, ભાગલપુર, ભોપાલ, ભુવનેશ્વર, કોઈમ્બતુર, ચંદીગઢ, ચેન્નાઈ, કોચી, કટક, દાર્જિલિંગ, દેહરાદૂન, દિલ્હી, ગાંધીનગર, ગુવાહાટી, ગયા, હરિદ્વાર, હજારીબાગ, હુબલી હૈદરાબાદ, જયપુર, જલંધન, જયપુર, કન્યાકુમારી, કોલકાતા, કોલ્હાપુર, લખનૌ, મદુરાઈ, મેંગલોરમાં જોઇ શકાશે.

નરી આંખે ના જુઓ સુર્યગ્રહણ
સૂર્યગ્રહણને નરી આંખે ન જોવું જોઈએ કારણ કે આ દરમિયાન નીકળતા હાનિકારક કિરણો આંખોને નુકસાન પહોંચાડે છે. હંમેશા એલ્યુમિનિયમ માઇલર, બ્લેક પોલિમર અથવા 14 નંબર શેડ ગ્લાસ મિરરનો ઉપયોગ કરવો જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
