For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vastu Tips: ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરે છે સ્ફટિક

ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બનાવવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે ક્રિસ્ટલનો ઉપયોગ. જાણો વિગત.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોઈપણ ઘરમાં ખુશીથી રહેવા માટે જરૂરી છે કે તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ હોવો જોઈએ. ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બનાવવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે ક્રિસ્ટલનો ઉપયોગ. વાસ્તુ અનુસાર ઘરમાં ક્રિસ્ટલ હોવુ ખૂબ જ શુભ હોય છે અને તેનાથી ઘરના ખરાબ વાસ્તુને સુધારી શકાય છે. આ માટે એક ક્રિસ્ટલ બોલનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઘરના પૂર્વ ભાગમાં મૂકવામાં આવે છે જ્યાં સવારનો સૂર્યપ્રકાશ આવે છે.

stone

સ્ફટિકના લાભ

  • ક્રિસ્ટલ જેમ-જેમ કોઈપણ જીવ, વનસ્પતિ, પ્રાણીઓ કે પર્યાવરણના સંપર્કમાં આવે છે તેમ-તેમ તે પ્રાણી કે વસ્તુની સકારાત્મક ઉર્જા અનેક ગણી વધી જાય છે.
  • સ્ફેટિકથી પ્રાણશક્તિમાં અનેકગણો વધારો થાય છે. પ્રાણશક્તિમાં વધારો થવાને કારણે રોગો સામે લડવાની આપણી આંતરિક ક્ષમતા મજબૂત બને છે અને આરોગ્ય ઝડપથી સુધરે છે. સ્ફટિક પહેરવાથી ચેપી રોગો સામે રક્ષણ મળે છે.
  • જેઓ નકારાત્મક ઉર્જાથી ઘેરાયેલા છે તેમને સ્ફેટિક રક્ષણ પૂરુ પાડે છે. તે શુદ્ધ દૈવી ઉર્જાનો પ્રવાહ વધારે છે.
  • સ્ફેટિક શરીરના સાત ચક્રોને સંતુલિત કરે છે અને તેમને શુદ્ધ કરે છે અને તેમની કાર્ય ક્ષમતા વિકસાવે છે.
  • તેના ઠંડા સ્વભાવને કારણે સ્ફટિક મન, રોગ અને લાગણીઓના ઉદ્વેગને શાંત કરીને સ્વાસ્થ્ય લાભ આપે છે.
  • ક્રિસ્ટલ્સ આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા ઉત્સર્જિત હાનિકારક કિરણોત્સર્ગને શોષી લે છે.

સ્ફટિકને શુદ્ધ કરવુ જરુરી

સ્ફેટિક પર્યાવરણ અને મનુષ્યો, જીવો દરેક જગ્યાએથી નકારાત્મક ઉર્જાનુ શોષણ કરે છે તેથી સમય સમય પર તેને શુદ્ધ કરવુ પણ જરૂરી છે નહિતર તે તેની સંપૂર્ણ અસર દર્શાવી શકશે નહિ. સ્ફટિકની માળા, બોલ અથવા તેનાથી બનેલી અન્ય વસ્તુઓ, મૂર્તિઓ વગેરેને 48 કલાકમાં એકવાર દરિયાના પાણી અથવા મીઠાના પાણીથી સારી રીતે ધોવા જોઈએ. આ પછી તેને સુતરાઉ કપડાથી સારી રીતે સાફ કરો અને તેને તમારી ડાબી હથેળી પર રાખો, જમણો હાથ ઉપર રાખો અને મનમાં અનુભવો કે સ્ફટિક શુદ્ધ થઈ ગયુ છે. ક્રિસ્ટલને થોડા કલાકો સુધી સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં રાખવાથી પણ તે શુદ્ધ થાય છે.

English summary
Sphatik removes negative energy from the house, Know the crystal stone effects in detail here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X