Surya Gochar 2023 : 13 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં રહેશે સૂર્ય, આ ત્રણ રાશિને થશે લાભ
Surya Gochar 2023 : સૂર્ય ગ્રહ પિતા, રાજા અને તમારા ઉચ્ચ અધિકારીઓ માટે પણ કારક ગ્રહ માનવામાં આવે છે. સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. આવા સમયે સૂર્ય ગોચરને કારણે 3 રાશિની કિસ્મત ખૂલી જશે.
Surya Gochar 2023 : સૂર્ય આપણા પ્રાકૃતિક આત્મ કારક ગ્રહ છે. આ આપણી ગરિમા, સ્વભિમાન, અહંકાર અને કરિયરનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ તમારા સમર્પણ, તમારી સહનશક્તિ, જીવન શક્તિ, ઇચ્છાશક્તિ, સમાજમાં સમ્માન, લીડરશીપની ગુણવત્તાને કાબૂ કરે છે.
સૂર્ય ગ્રહ તમારા પિતા, રાજા અને તમારા ઉચ્ચ અધિકારીઓ માટે પણ કારક ગ્રહ માનવામાં આવે છે. સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. આવા સમયે સૂર્ય ગોચરને કારણે 3 રાશિની કિસ્મત ખૂલી જશે.
ભાગ્યને સૂર્ય ભગવાન ચમકાવી શકે છે
આ શનિ અને સૂર્ય પરસ્પર શત્રુતાનો ભાવ ધરાવે છે. તેઓ ચોક્કસ સમય અંતરાલ પર મકર રાશિમાં સ્થિત છે. સૂર્ય-શનિની અસરને કારણે ઘણી રાશિના જાતકોમાં ઉથલપાથલ થશે.
મકર રાશિ પર શનિદેવનું શાસન છે. સૂર્યદેવ અહીં 13 ફેબ્રુઆરી સુધી રોકાશે. જેની અસર તમામ રાશિના લોકો પર પડશે, પરંતુ એવી 3 રાશિઓ છે, જેમના ભાગ્યને સૂર્ય ભગવાન ચમકાવી શકે છે.
મેષ રાશિના જાતકો પર સૂર્ય ગોચરની અસર
મેષ રાશિના લોકો માટે સૂર્ય ગ્રહનું ગોચર સાનુકૂળ સાબિત થઈ શકે છે. સૂર્ય ભગવાન મેષ રાશિમાંથી કર્મભાવમાં ગોચર કરશે. આ સમયગાળા દરમિયાન વેપારમાં વિસ્તરણ થવાની સંભાવના છે.
તમને ક્ષેત્રમાં પણ ઘણી તકો મળશે. જે લોકો બેરોજગાર છે, તેમને નોકરીની નવી તકો મળી શકે છે.
સિંહ રાશિના જાતકો પર સૂર્ય ગોચરની અસર
સૂર્ય ભગવાન સિંહ રાશિમાંથી પાંચમા ભાવમાં ગોચર કરશે. આ સમયે નોકરીયાત લોકોને તેમની મહેનતનું ફળ મળશે. કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધશે.
આ સાથે જ પારિવારિક જીવન પણ અનુકૂળ રહેવાનું છે. આ ઉપરાંત સૂર્ય ભગવાન તમારી રાશિના સ્વામી છે, તેથી આ સમયગાળો તમારા માટે શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે.
મીન રાશિના જાતકો પર સૂર્ય ગોચરની અસર
સૂર્ય ભગવાનના રાશિ પરિવર્તનથી મીન રાશિના લોકોને પણ ફાયદો થશે. સૂર્ય ગ્રહના પ્રભાવથી મીન રાશિના જાતકો જે શેર અને શેરબજાર સાથે જોડાયેલા છે, તેમને સારો લાભ મળી શકે છે.
આર્થિક સ્થિતિ ધીમે ધીમે મજબૂત થશે. બીજી તરફ વેપારીઓની આવકમાં વધારો થઈ શકે છે.