Navratri 2021: આજે મહાઅષ્ટમી, જાણો ક્યારે કરશો કન્યા પૂજન, શું છે નિયમ?
માનવામાં આવે છે કે કુમારી કન્યાઓમાં દુર્ગાનો વાસ હોય છે માટે લોકોના ઘરોમાં નવરાત્રિના દિવસોમાં કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે.
નવી દિલ્લીઃ આજે મહાઅષ્ટમી છે અને મંદિરોમાં સવારથી જ માના જયકારા ગુંજી રહ્યા છે. અષ્મીનો આરંભ કાલે રાતે 9 વાગીને 49 મિનિટથી થઈ ચૂક્યો છે કે જે આજે રાતે 8 વાગીને 9 મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ નવમી શરૂ થઈ જશે. આજે લોકોના ઘરોમાં ગૌરીની વિશેષ પૂજા-અર્ચના ચાલી રહી છે. આજે ઘણા બધા ઘરોમાં કન્યા પૂજન પણ કરવામાં આવી રહ્યુ છે. માનવામાં આવે છે કે કુમારી કન્યાઓમાં દુર્ગાનો વાસ હોય છે માટે લોકોના ઘરોમાં નવરાત્રિના દિવસોમાં કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે.

અમુક લોકો સપ્તમીએ કન્યા પૂજન કરે છે પરંતુ સામાન્ય રીતે કન્યા પૂજન અષ્ટમી અને નવમીના રોજ કરવામાં આવે છે. જેમના ઘરોમાં ઘટ સ્થાપન હોય છે તેમના માટે નિયમ છે કે તે હવન-પૂજન પહેલા જ કન્યાઓને ભોજન જમાડી દે કારણકે હવન બાદ માની વિદાય થઈ જાય છે માટે કન્યા પૂજનને હવન પહેલા જ કરવામાં આવે છે.
હલવો-પૂરી અને ચણા
કન્યાપૂજનમાં સામાન્ય રીતે હલવો-પૂરી અને ચણા બનાવવાનો રિવાજ છે. વળી, ક્યાંક-ક્યાંક કન્યા પૂજનમાં ખીર-પુરી ખવડાવવામાં આવે છે. અમુક લોકો દહીં-જલેબી પણ ખવડાવે છે. વળી, ક્યાંક-ક્યાંક આખુ ભોજન(દાળ-ભાત-શાક-રોટલી) કન્યાઓને ખવડાવવામાં આવે છે. આજે અષ્ટમીની રાત સુધી કન્યાપૂજન રાતે 8 વાગીને 9 મિનિટ પહેલા ગમે ત્યારે કરવામાં આવી શકે છે.
ભેટ આપવામાં આવે
કન્યાઓનુ પૂજન કરતા પહેલા બધાના પગ ધોવામાં આવે છે અને પછી તેમને તિલક કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને થાળી પિરસવામાં આવે છે અને બાદમાં તેમને ભેટમાં અમુક ગિફ્ટ આપવામાં આવે છે. કન્યાઓના રૂપમાં લોકો પોતાના ઘરોમાં મા દુર્ગાનુ એક રીતે સ્વાગત કરે છે અને એ બધાના પગ સ્પર્શીને આશીર્વાદ માંગે છે. કન્યાઓને ભોજન કરાવતી વખતે સાથે એક બાળકનુ પણ હોવુ અનિવાર્ય માનવામાં આવે છે કારણકે બાળકને બટુક ભૈરવનુ પ્રતીક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે નવરાત્રિની પૂજા ત્યાં સુધી સફળ માનવામાં નથી આવતી જ્યાં સુધી કન્યાઓનુ પૂજન ન થાય. આના કારણે કન્યા પૂજન નવરાત્રિનુ અભિન્ન અંગ છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
