હંમેશા રહે છે પૈસાની તંગી, પોતાના પર્સમાંથી દૂર કરો આ વસ્તુઓ!
ઘણી કમાણી કર્યા બાદ પણ પૈસાના અભાવે પરેશાન થવું એ મોટાભાગના લોકોની સમસ્યા રહે છે. આની પાછળ તેમના બેફામ ખર્ચા અને બજેટ બનાવ્યા વિના નાણા વેડાવવા જેવી ભૂલો જવાબદાર રહે છે.
નવી દિલ્હી : ઘણી કમાણી કર્યા બાદ પણ પૈસાના અભાવે પરેશાન થવું એ મોટાભાગના લોકોની સમસ્યા રહે છે. આની પાછળ તેમના બેફામ ખર્ચા અને બજેટ બનાવ્યા વિના નાણા વેડાવવા જેવી ભૂલો જવાબદાર રહે છે. આ સિવાય કેટલીક એવી ભૂલો પણ થાય છે, જેને વાસ્તુશાસ્ત્રમાં દેવી લક્ષ્મીની નારાજગીનું કારણ જણાવવામાં આવ્યું છે. પર્સ સાથે જોડાયેલી આ ભૂલોને હંમેશા ટાળવી જોઈએ, નહીં તો પૈસાની તંગી ક્યારેય ખતમ નહીં થાય.
પર્સમાં ભગવાનનો ફોટો
ઘણા લોકો પર્સમાં ભગવાનનો ફોટો રાખે છે અથવા એવો કોઈ કાગળ રાખે છે, જેમાં ભગવાનનો ફોટો હોય છે. તેમની આ ભૂલ તેમને દેવાના બોજ હેઠળ દબાવી રાખે છે.જો તમે દેવાથી બચવા માંગતા હોવ તો પર્સ અંગે આ ભૂલ ન કરો.
જૂના બિલ અથવા રસીદો
ઘણા લોકો તેમના પર્સમાં જૂના બિલ-રસીદનું બંડલ રાખે છે. તેમની આ આદતથી તેઓ પૈસા ગુમાવે છે. તો આ વસ્તુઓ ક્યારેય પણ તમારા પર્સમાં ન રાખો.
મૃત સંબંધીઓના ફોટો
ઘણા લોકો પોતાના મૃત સ્વજનોના ફોટા પર્સમાં રાખે છે, આમ કરવા પાછળ તેમની સાથે ભાવનાત્મક લગાવ જોડાયેલો હોય છે, પરંતુ પર્સમાં મૃતકનો ફોટો રાખવાથીદેવી લક્ષ્મી નારાજ થાય છે. જેના કારણે આવા લોકોની પાસે હંમેશા પૈસાની અછત રહે છે.
ધારદાર વસ્તુ
પર્સમાં ક્યારેય ધારદાર કે અણીદાર વસ્તુઓ કે ધાતુની વસ્તુઓ ન રાખો. તેઓ નકારાત્મકતા લાવે છે અને પૈસાનું નુકસાન કરે છે.
ફાટેલું પર્સ
ફાટેલું પર્સ ક્યારેય ન રાખો. આવું કરવાથી મા લક્ષ્મી ક્રોધિત થાય છે અને વ્યક્તિ દરિદ્ર બની જાય છે.