કેમ પહેરો સાપ, કાચબા, સૂર્યના આકારની વીંટી
કોઈ વ્યક્તિના જન્માક્ષરમાં જો ગ્રહોનું સંતુલન બગડી ગયું છે તો, તેમના જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવવા માંડે છે.
કોઈ વ્યક્તિના જન્માક્ષરમાં જો ગ્રહોનું સંતુલન બગડી ગયું છે તો, તેમના જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવવા માંડે છે. માનસિક અસ્થિરતા ઉપરાંત, આર્થિક, સામાજિક, કૌટુંબિક જીવનમાં સંકટનો સામનો કરવો પડે છે. ગ્રહોની સ્થિતિ સારી કરવા માટે વેદિક જ્યોતિષમાં ઘણા પ્રકારના ઉપાયોનું વર્ણન મળે છે, તેમાંથી જ એક છે વિભિન્ન પ્રકારની વીંટીના પ્રયોગ. દરેક ગ્રહ સાથે કોઈ ને કોઈ ધાતુ જોડાયેલી છે, તે સંબંધિત ગ્રહને સુધારવા માટે તેનાથી સંબંધિત ધાતુની વીંટી પહેરવામાં આવે છે, પરંતુ કેટલીક વિશેષ પ્રકારની વીંટીઓ પણ હોય છે જેનો પ્રયોગ કરવામાં આવે છે ગ્રહોની બગડેલી સ્થિતિને સુધારવા માટે. ચાલો જાણીએ કે તે કયા કયા પ્રકારની વીંટીઓ હોય છે.
આ પણ વાંચો: આ રાશિઓનું હૃદય ખુબ જ કોમળ હોય છે, ખુબ જ જલ્દી માફ કરી દે છે

સાપના આકારની વીંટી
સાપના આકારની વીંટીનો પ્રયોગ કાલસર્પ દોષ, પિતૃ દોષ અને ગ્રહણ દોષને દૂર કરવા માટે થાય છે. આ વીંટી એ પ્રકારની હોય છે તેની ઉપરની તરફ સાપ બનેલો હોય છે. જો કોઈ વ્યક્તિના જન્માક્ષરમાં કાલસર્પ દોષ બનેલો હોય, તો તેઓએ ચાંદી અથવા અષ્ટધાતુની સર્પ આકારની વીંટી પહેરવી જોઈએ.

કાચબાના આકારની વીંટી
કાચબાને ધન પ્રદાયક માનવામાં આવે છે. વેદિક જ્યોતિષવિદ્યા સિવાય, કાચબાને વાસ્તુ અને ફેંગશુઇમાં પણ શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. કાચબાની અષ્ટધાતુની વીંટી ધારણ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઇ જાય છે. જે લોકોને સતત નાણાકીય કટોકટી રહેતી હોય, બિઝનેસમાં પર્યાપ્ત લાભ ન મળતો હોય, ધનની બચત ના થતી હોય, કુટુંબની જરૂરિયાતોને પૂરી કરી શકતા નથી તો શુક્રવારે કાચબાના આકારની વીંટી જરૂર પહેરો. આનાથી ટૂંક સમયમાં જ તમારી સમસ્યાઓ હલ થવા લાગશે.

સૂર્યના આકારની વીંટી
સૂર્યને માન-સન્માન, પ્રગતિ, ઉન્નતિનો પ્રતીક માનવામાં આવે છે. જે લોકો સામાજિક-પારિવારિક જીવનમાં આદર, ગૌરવ અને પદ પ્રાપ્ત કરવામાં અસમર્થ છે, તેમને સૂર્યની આકારની વીંટી પહેરવી જોઈએ. નોકરીમાં તરક્કી, પ્રમોશન અને પદ મેળવવા માટે સૂર્યના આકારની વીંટી પહેરવી જોઈએ.

ત્રિશક્તિ વીંટી
ત્રિશૂળ, ઓમ અને સ્વાસ્તિક આ ત્રણ પ્રતીકોથી બનેલી વીંટી ત્રિશક્તિ વીંટી તરીકે ઓળખાય છે. આ રીંગ જીવનના તમામ રોગો દૂર કરીને સકારાત્મક શક્તિનો સંચાર કરે છે. જે લોકો ડિપ્રેશનમાં છે, તણાવમાં છે, માનસિક રીતે હેરાન થાય છે, અને જો દુશ્મન હેરાન કરતા હોય તો આ ત્રિશક્તિ વીંટી પહેરો. ત્રિશૂળ દુશ્મનોથી રક્ષણ આપે છે. ઓમ માનસિક શાંતિ આપે છે અને સ્વાસ્તિકથી જીવનમાં શુભ કાર્ય થાય છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
