Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વાસ્તુ વિજ્ઞાનઃ ચપટી મીઠું બદલી શકે છે તમારું જીવન

મીઠું સંતુલનનુ પ્રતિક ગણાય છે. જીવનમાં સંતુલનથી જ સફળતાનો માર્ગ મોકળો થાય છે...

મીઠું ભોજનમાં વપરાતી મહત્વની વસ્તુ છે. ભોજનમાં તેની ભૂમિકા અનોખી છે. જમવામાં મીઠું જો ઓછું હોય તો ભોજન બેસ્વાદ થઈ જાય છે, અને જો વધારે હોય તો ભોજન ગળેથી નીચે ઉતારવું મુશ્કેલ બની જાય છે. એટલે કે, મીઠું સંતુલનમાં હોવુ જોઈએ. મીઠું સંતુલનનુ પ્રતિક છે. જીવનમાં સમતુલાથી જ સફળતાનો માર્ગ મોકળો જાય છે. આજે અમે તમને મીઠા વિશે કેટલીક રસપ્રદ જાણકારી આપીશું....

salt

તમારા ઘરમાં વાસ્તુ દોષનો પ્રભાવ હોય તો સિંધાલૂણને એક વાટકીમાં રાખી તેને બાથરૂમના એક ખૂણામાં મૂકી દો. આમ કરવાથી બાથરૂમનો વાસ્તુદોષ નાશ પામે છે.

ઓછામાં ઓછું અઠવાડિયામાં એકવાર પોતાના પાણીમાં મીઠું નાખી પોતુ કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા નીકળી જાય છે.

જો તમારા વ્યવસાયમાં નિરંતર ઘટાડો થતો જતો હોય તો એક લાલ કપડામાં સિંધાલૂણ મીઠું બાંધી ધંધાના સ્થળે મુખ્યદ્વાર પર લટકાવી દો. આ ઉપાય કરવાથી તમારા વેપારમાં પ્રગતિ થવા લાગશે.

ઘરના મુખ્ય દરવાજે સિંધાલૂણ લાલ કપડામાં બાંધી ટીંગાળી દેવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરવાથી બચે છે. ઉપરાંત ઘરના સભ્યોની સુરક્ષા થાય છે.

દરેક અમાસે એક ચપટી સિંધાલૂણ ઘરના તમામ સભ્યોના ઉપરથી 7 વખત ઉતારી જળમાં પ્રવાહિત કરી દેવુ જોઈએ. જેનાથી કુટુંબના સભ્યોનો પરસ્પરનો પ્રેમ વધે છે. આ ઉપાય 10 અમાસ સુધી કરવો.

જો કોઈ બાળકને નજરદોષની તકલીફ જણાતી હોય તો રવિવાર કે મંગળવારના દિવસે ચપટી સિંધાલૂણ મીઠું પીડિત જાતકના માથા પરથી 7 વખત ઉતારી તેને અગ્નિમાં નાખી દેવું. આમ કરવાથી નજરદોષ ખતમ થાય છે.

રાત્રે સુતા પહેલા પાણીમાં ચપટી મીઠું નાખી હાથ-પગ ધોવાથી તનાવમાં રાહત મળે છે અને ઉંઘ સારી આવે છે. સાથે જ રાહુના દુષ્પ્રભાવથી બચી શકાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X