ઘરમાં પેંટિંગ લગાવતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન
ઘાટ્ટા રંગના, જંગલી જાનવરોના કે જંગલના, હથિયારના કે વૃધ્ધત્વ દર્શાવતા અને ભૂત-પ્રેતના ચિત્રો ઘરમાં લગાવવાથી બચજો.
ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવવા માટે આપણે અનેક પ્રકારના ઉપાયો કરતા હોઈએ છીએ. જેની માટે સૌથી મહત્વનું છે કે તમે કઈ વસ્તુને ક્યાં મૂકશો. દરેક વસ્તુ પછી ભલે તે હોય તિજોરી, બેડ, કિચન, મંદિર, અરિસો કે દિવાલ પરનો વોલ પીસ. આ તમામ વસ્તુઓને જો આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તેની યોગ્ય જગ્યાએ મૂકીએ તો ઘણી બધી મુશ્કેલીઓમાંથી પોતાના કુટુંબીજનોને બચાવી શકીએ. આવી જ રીતે આજે અમે તમને જણાવીશું કે જો તમે તમારી પસંદનું કોઈ ચિત્ર ઘરમાં લગાવવા ઈચ્છતા હોવ તો તે માટે કયુ ચિત્ર અનુરૂપ ગણાય. પેન્ટિંગ, સીનરી, ચિત્ર વગેરે ઘરમાં લગાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખજો...

- અત્યંત ઘાટ્ટા રંગથી બનેલી વસ્તુ સકારાત્મક ઉર્જાનો ક્ષય કરે છે. પરિણામે એવું ચિત્ર પસંદ કરવું જેમાં બને તેટલા આછા રંગનો ઉપયોગ થયેલો હોય.
- યુધ્ધ અને ઝગડાના ચિત્રોને ઘરમાં લગાવવા નહિં.
- કરચલીવાલા અને ઉદાસ ચહેરાવાળા વૃધ્ધોના ચિત્રોને ઘરમાં લગાવવા નહિં.
- જંગલી પશુઓના ચિત્રો પણ ઘરમાં લગાવવાથી બચવું જોઈએ.
- ધારદાર અથવા ખાંચાવાળા અથવા હથિયાર જેવા દેખાતા હોય તેવા ચિત્રો પણ ન લગાવવા જોઈએ.
- ભૂત-પ્રેત જેવા ચિત્રો અથવા તેના જેવી છાપ ઉપસાવનારા ચિત્રો પણ ઘરમાં લગાવવા નહિં.
- સુનસાન જંગલ, દલદલ અથવા તેને લગતી કોઈ સીનરી પણ ઘરમાં લવાવવી અશુભ મનાય છે.
- ગંદા, દરિદ્રતા દર્શાવનારા અથવા ભયાનક દેખાતા ચિત્રો પણ ઘરમાં લગાવવા નહિં.
- બહું જૂના થઈ ગયેલા ચિત્રો અથવા પેંટિંગ પણ બદલીને નવી લગાવવી જોઈએ. કારણ કે તેમાંથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહે છે.
ઉપર પ્રમાણેની સાવધાની રાખવાથી પણ અનેક પ્રકારની નકારાત્મક ઉર્જાને આપણાથી દૂર રાખી શકાય છે.
More From
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ





Click it and Unblock the Notifications
