Vastu Tips for Plants : ઘરને ભારે નુકસાન પહોંચાડે છે આ ઇન્ડોર છોડ, પ્રગતિ અટકાવી લાવે છે દરિદ્રતા
વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષો અને છોડને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે, તે આસપાસની ઊર્જા પર પણ અસર કરે છે. આ સાથે વાસ્તુશાસ્ત્રમાં શુભ અને અશુભ વૃક્ષ-છોડના નામ, દિશા વગેરે વિશે પણ જણાવ્યું છે.
Vastu Tips for Plants : વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષો અને છોડને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે, તે આસપાસની ઊર્જા પર પણ અસર કરે છે. આ સાથે વાસ્તુશાસ્ત્રમાં શુભ અને અશુભ વૃક્ષ-છોડના નામ, દિશા વગેરે વિશે પણ જણાવ્યું છે.
અનલકી ઇન્ડોર પ્લાન્ટ (unlucky plants)
એટલું જ નહીં, ચાઈનીઝ આર્કિટેક્ચરલ સાયન્સ ફેંગશુઈમાં પણ છોડ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
આજે આપણે એવા કેટલાકઇન્ડોર છોડ વિશે જાણીએ જેની ઘરમાં હાજરી ખરાબ નસીબ લાવે છે.
આ છોડ ઘરમાં નકારાત્મક ઉર્જાનું કારણ બને છે. તેઓ ઘરના લોકોનીપ્રગતિ અને પૈસાના પ્રવાહને રોકે છે.
ઘરની સજાવટના નામે ન કરો આ ભૂલ
ઘણી વખત આવા છોડને ઘરમાં સુશોભન છોડ તરીકે રાખવામાં આવે છે, તે નકારાત્મકતા અને દુર્ભાગ્યનું કારણ બને છે. આ છોડ ઘરનીસુખ-શાંતિમાં ખલેલ પહોંચાડે છે. ચાલો જાણીએ ઘરમાં કયા છોડ ન રાખવા જોઈએ.
બોંસાઈ પ્લાન્ટ (Bonsai Plant) :
બોંસાઈ પ્લાટન્ટ ઘરમાં ન રાખવો જોઈએ. આ છોડ પ્રગતિમાં અવરોધરૂપ બને છે. ઘરના લોકોની નોકરી-ધંધામાં પ્રગતિ અટકે.
કપાસ કે કોટન પ્લાન્ટ (Cotton Plant) :
કપાસનો છોડ ઘરમાં ક્યારેય ન લગાવવો જોઈએ. આ છોડ ગમે તેટલો સુંદર દેખાય પણ તેને લગાવવાનું ટાળો. તે નકારાત્મકતા અને ઘણીપરેશાનીઓનું કારણ બને છે.
કાંટાદાર છોડ (Thorn Plant) :
કાંટાદાર છોડ ઘર કે ઓફિસમાં ક્યાંય પણ ન લગાવવા જોઈએ. તેઓની હાજરી તણાવ આપે છે, ઝઘડા કરાવે છે અને વાતાવરણનેનકારાત્મક ઊર્જાથી ભરી દે છે.
મહેંદીનો છોડ (Henna Plant) :
મહેંદીનો છોડ (Mehendi Plant) નકારાત્મક શક્તિઓને આકર્ષે છે. તેથી આ છોડને ઘરમાં ન લગાવો.
આમલીનું ઝાડ (Tamarind Tree) :
ઘરમાં આમલીનું ઝાડ અથવા છોડ હોવો અશુભ છે. આ છોડ નકારાત્મક શક્તિઓને પણ આકર્ષે છે.