વાસ્તુ ટિપ્સઃ આ સહેલા ઉપાયોથી બનાવી શકો છો બાળકોનું સફળ કરિયર
ઘરની અંદર અને બહાર અને વાસ્તુ દોષમાં ચિત્ર, પેઈન્ટિંગ, કોતરણીકામ ન લગાવવું જોઈએ. વાસ્તુના કેટલાક સહેલા ઉપાય જાણીને તમે બાળકોનું કરિયર સારું બનાવી શકો છો.
ઘરની અંદર અને બહાર અને વાસ્તુ દોષમાં ચિત્ર, પેઈન્ટિંગ, કોતરણીકામ ન લગાવવું જોઈએ. વાસ્તુના કેટલાક સહેલા ઉપાય જાણીને તમે બાળકોનું કરિયર સારું બનાવી શકો છો. પરંતુ એ પહેલા તમારે કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી છે.

- તમારું બાળક જે બાજુ મોઢુ કરીને વાંચે છે, ભણે છે, તે દિવાલ પર માતા સરસ્વતનો ફોટો લગાવો. તેનાથી બાળકને ભણવામાં રસ વધશે.
- બાળકોની ઉત્તર-પૂર્વ દિવાલમાં લાલપટ્ટીના ચાઈનીઝ બાળકોના યુગલનો ફોટો લગાવો. આમ કરવાથી ઘરમાં ખુશી આવશે અને બાળકોનું કરિયર બરાબર બનશે. આ ઉપય અપનાવીને તમે તમારા બાળકોને સારા કરિયર તરફ લઈ જઈ શકો છો, અને જીવનમાં સફળ બનાવી શકો છો.
- તમારું બાળક જે રૂમમાં બેસીને વાચતું હોય ત્યાં મોર, વીણા, પુસ્તક, પેન, હંસ, માછલીના ફોટા લગાવવા જોઈએ.
- બાળકોના બેડરૂમમાં લીલા ફળ આપે તેવા વૃક્ષોના ફોટા, આકાશ, વાદળ, ચંદ્ર તેમજ સમુદ્રની સપાટી જેવી શુભ આકૃતિ ધરાવતા ફોટા ચોંટાડવા જોઈએ.
- ફળ, ફૂલ અને હસતા બાળકોના ફોટા જીવન શક્તિનું પ્રતીક છે. તેને પૂર્વ અને ઉત્તરની દીવાલો તરફ લગાવવા જોઈએ.
- કરિયરમાં સફળતા મેળવવા માટે ઉત્તર દિશામાં જમ્પિંગ ફિશ, ડૉલ્ફિન અથવા માછલીની જોડીનું પ્રતીક ચિહ્ન લગાવવું જોઈએ. તેનાથી સારું કરિયર તો મળે જ છે, સાથે જ વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતા પણ વધે છે.
- જો કોઈ વ્યક્તિનું મન ખૂબ જ અશાંત રહેતું હોય, તો પોતાના ઘરની ઉત્તર પૂર્વમાં બગલાનો ફોટો લગાવવો જોઈએ. જો કે આ ફોટામાં બગલો ધ્યાનની મુદ્રામાં હોય તે જરૂરી છે.
સામાન્ય રીતે વધતી ઉંમરની સાથે સાથે આસપાસનું વાતાવરણ પણ બાળકોની બુદ્ધિક્ષમતાને અસર કરે છે. એટલે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવી રાખવું જરૂરી છે. જો ઘરમાં નકારાત્મક વાતાવરણ હશે, તો બાળકનું મન અભ્યાસમાં નહીં લાગે. અને જો બાળક ધ્યાન આપીને ભણશે નહીં તો યાદશક્તિ ઘટવી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ બાળકના આગળના જીવનમાં પણ મુશ્કેલી આવી શકે છે. જો કે માતા સરસ્વતીની કેટલાક મંત્રો અહીં મદદરૂપ બની શકે છે. જો તમારા બાળકોનું ભણવામાં મન ન લાગતું હોય તો સરસ્વતી મંત્રનો જાપ પણ કરાવો.
આ પ્રમાણે છે સરસ્વતી મંત્ર
- ॐ महाविद्यायैनम:
- ॐ वाग्देव्यैनम:
- ॐ ज्ञानमुद्रायै नम:
તમારા બાળકનું મન અભ્યાસમાં ન લાગતું હોય, કે પછી યાદ ન રહેતું હોય તો બાળકને આ સરસ્વતી મંત્રના જાપ કરાવો.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
