Vastu Tips : આર્થિક તંગીથી છો પરેશાન, અજમાવી જુઓ નારિયેળના આ વાસ્તુ ઉપાયો
Vastu Tips : વાસ્તુ દોષ અથવા ખરાબ નઝરને કારણે કોઇપણ વ્યક્તિની આર્થિક સ્થિક કથળી શકે છે. આવામાં તે ગમે તેટલી મહેનત કરે, તો પણ બધુ પહેલા જેવું થતું નથી. આવામાં તે વ્યક્તિએ ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. તેના જીવનમાં અસ્થિરતા સતત વધી શકે છે.
આવામાં તે વ્યક્તિની આવક ઘટવા લાગે છે અને ખર્ચ વધવા લાગે છે. પૈસાની અછતને કારણે પરિવારના સભ્યોમાં વિખવાદની સ્થિતિ સર્જાય છે. એકંદરે, વ્યક્તિની આર્થિક સ્થિતિ વધુને વધુ ખરાબ થાય છે. જો તમે પણ વાસ્તુ દોષના કારણે પરેશાન છો અને તેમાંથી છૂટકારો મેળવવા માંગો છો, તો તમે નારિયેળનો ઉપયોગ કરી શકો છો. નારિયેળના ઉપાય કરવાથી આર્થિક સમસ્યા જલ્દી દૂર થાય છે.

સનાતન ધર્મમાં નારિયેળને શુભ માનવામાં આવે છે. દરેક શુભ કાર્ય કરતા પહેલા નારિયેળ વધેરવામાં આવે છે. આ સાથે કલશ પૂજામાં નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે. નારિયેળ ધનની દેવી લક્ષ્મીને પ્રિય છે. આ માટે દર શુક્રવારે મંદિરમાં જઈને ધનની દેવી માતા લક્ષ્મીને નારિયેળ ચઢાવો.
જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો, તો શુક્રવારે મા લક્ષ્મીને એક નાળિયેર, કમળનું ફૂલ, દહીં, સફેદ વસ્ત્રો અને સફેદ મીઠાઈઓ અર્પણ કરો. આ પછી લાલ રંગના કપડામાં નારિયેળ બાંધી દો. આ નારિયેળને ઘરમાં એવી જગ્યાએ રાખો. જ્યાં કોઈ જોઈ શકે નહીં. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે.
જો કોઈની ખરાબ નજર તમારી પ્રગતિ પર પડી હોય, તો એક નાળિયેળ લો. હવે તેના પર કાજલનું ટીલું લગાવો. આ પછી તેને ઘરની આસપાસ ફેરવો અને તેને વહેતા પાણીના પ્રવાહમાં વહેવા દો. આ ઉપાય કરવાથી દુષ્ટ શક્તિ દૂર થાય છે. તેની સાથે ખરાબ નજર પણ દૂર થાય છે.
જો તમે આર્થિક તંગીથી પરેશાન છો, તો મંગળવારે એક નારિયેળનું સેવન કરો. હવે નારિયેળ પર ચમેલીનું તેલ લગાવો. તેમજ નારિયેળ પર સિંદૂર વડે સ્વસ્તિકનું પ્રતિક બનાવો. આ પછી મંદિરમાં જઈને હનુમાનજીને નારિયેળ ચઢાવો. આ ઉપાય ઓછામાં ઓછા 7 મંગળવાર સુધી કરો.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
