Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vishwakarma Puja 2023: ક્યારે છે વિશ્વકર્મા જયંતિ? જાણો પૂજા વિધિ, મુહૂર્ત, મહત્વ અને કથા

Vishwakarma Puja 2023: બ્રહ્માંડના સૌથી પહેલા અને મહાન આર્કિટેક્ટ તેમજ એન્જિનિયર ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ દર વર્ષે 17 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો યંત્ર, સાધનો અને વાહનોની પૂજા કરે છે. દર વર્ષે આ તહેવાર પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ત્રિપુરા, કર્ણાટક, આસામમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ભગવાન વિશ્વકર્માની પૂજા કરવાથી વ્યક્તિની બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેનો બિઝનેસ પણ કૂદકે ને ભૂસકે વધે છે અને તેના વ્યવસાયમાં ક્યારેય કોઈ સંકટ નથી આવતું.

Vishwakarma

પૂજાનુ શુભ મુહૂર્ત

વિશ્વકર્મા જયંતિ રવિવારે આખો દિવસ છે અને ભગવાનની પૂજા કોઈપણ સમયે કરી શકાય છે, પરંતુ ભગવાન વિશ્વકર્માની પૂજા કરવાનો શુભ સમય 17 સપ્ટેમ્બરના રોજ સવારે 7:50થી 12:26 સુધીનો રહેશે. જો તમે કોઈ પણ પૂજા શુભ સમયમાં કરો છો તો તમને શુભ ફળ મળે છે.

પૂજા વિધિ

પૂજાના દિવસે સૌ પ્રથમ સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. જો તમારે વ્રત રાખવું હોય તો ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો. ભગવાન વિશ્વકર્માની મૂર્તિ અથવા ચિત્રની પૂજા કરો. ભગવાનને અખંડ ફળ, હળદર, ફૂલ, સોપારી અને ફળ અર્પણ કરો. આ પછી તમામ યંત્રો અને સાધનોની પૂજા કરો. આરતી કરો, પ્રાર્થના કરો અને પ્રસાદ વહેંચો.

કથા

સૃષ્ટિના પિતા બ્રહ્માના પુત્ર ધર્મ હતા અને તેમના પુત્રનું નામ વાસ્તુદેવ હતું, જે ખૂબ સારા કારીગર હતા. તેમના અને અંગિરસીના પુત્રનું નામ વિશ્વકર્મા હતું, જે તેમના પિતાની જેમ ખૂબ જ સક્ષમ અને સારા વાસ્તુકાર હતા. તે ખૂબ જ હોંશિયાર હતા, તેમણે ઘણી વસ્તુઓની શોધ કરી હતી.

મહર્ષિ દધીચિના હાડકાંમાંથી બનાવ્યુ વજ્ર

એવું કહેવાય છે કે એકવાર રાક્ષસોએ તમામ દેવતાઓનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું, ત્યારે ભગવાન વિશ્વકર્માએ મહર્ષિ દધીચિના હાડકાંમાંથી એક અત્યંત કઠોર વજ્ર બનાવ્યું હતું, એ જ વજ્રથી ભગવાન ઈન્દ્રએ રાક્ષસોનો નાશ કર્યો હતો. તેઓ એક સર્જક હતા, તેમણે રાવણની સુવર્ણ લંકા અને ભગવાન કૃષ્ણની નગરી દ્વારકાની રચના કરી હતી. પાંડવોનું હસ્તિનાપુર અને ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર જેવી ઘણી વસ્તુઓ બનાવી હતી.

નોંધ: આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. વનઈન્ડિયા લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની પુષ્ટિ કરતું નથી, તેથી કોઈપણ માહિતી લાગુ કરતાં પહેલાં, કૃપા કરીને જાણકાર જ્યોતિષ અથવા પંડિતનો અભિપ્રાય લો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X