Feng Shui Tips: સુખી લગ્નજીવન જીવવા માંગો છો? તો જાણી લો આ પાંચ ફેંગશુઈ ટિપ્સ
Feng Shui Tips: વાસ્તુશાસ્ત્રમાં ઘર સજાવટ સંબંધિત નિયમો છે. ભાપતમાં જેમ વાસ્તુશાસ્ત્ર છે, તેવી રીતે ચીનમાં પણ ઘર સજાવટના નિયમો જણાવતું શાસ્ત્ર છે, જેને ફેંગશુઇ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સુખી દાંપત્ય જીવન સંબંધિત નિયમો પણ જણાવવામાં આવ્યા છે.
ફેંગશુઈ એક ચીની પ્રાચિન વાસ્તુશાસ્ત્ર છે, જેમાં સકારાત્મક ઉર્જાને વધારવાના ઘણા ઉપાય જણાવ્યા છે. આ ઉપાયોને અપનાવીને તમે તમારા સંબંધોમાં સુધારો કરી શકો છો. આ સાથે સાથે જીવનમાં પ્રેમ અને સુખ-સુવિધાનો પણ વધારો કરી શકો છે. આ અહેવાલમાં સુખી લગ્નજીવન માટેની પાંચ ફેંગશુઈ ટિપ્સ જાણીશું.
બેડરૂમનું યોગ્ય સ્થાન અને સજાવટ - ફેંગશુઈમાં જણાવ્યા અનુસાર, બેડરૂમનું સ્થાન અને સજાવટ લગ્ન જીવન પર ગાઢ અસર કરે છે.
દક્ષિણ-પશ્ચિમ દિશામાં બેડરૂમ રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ દિશા પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે, જે સ્થિરતા અને પ્રેમને પ્રોત્સાહન આપે છે.
બેડરૂમ હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત હોવો જોઈએ. ક્લટર નકારાત્મક ઉર્જા બનાવે છે, જે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. બેડને એવી રીતે મૂકો કે, તે રૂમની મધ્યમાં હોય અને બંને બાજુએ સમાન જગ્યા હોય, જેથી સંતુલન જળવાઈ રહે.
પ્રેમ પ્રતીક યીન યાંગ - ફેંગશુઇમાં યીન-યાંગનું સંતુલન પ્રેમ અને સંવાદિતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બેડરૂમમાં હંમેશા જોડીમાં વસ્તુઓ રાખો, જેમ કે બે મીણબત્તીઓ, બે પક્ષીઓ અથવા બે હૃદયના આકારની સજાવટ. આ વસ્તુઓ યીન-યાંગનું પ્રતીક છે, અને સંબંધોમાં સંતુલન લાવવાનું કામ કરે છે.

ગુલાબી અને લાલ રંગોનો ઉપયોગ - ફેંગશુઈમાં ગુલાબી અને લાલ રંગને પ્રેમ અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. બેડરૂમની દિવાલોને આછા ગુલાબી રંગથી રંગો અથવા લાલ ગાદલા, બેડશીટ અને પડદાનો ઉપયોગ કરો.
જો આખા રૂમમાં ગુલાબી અથવા લાલ રંગનો ઉપયોગ કરવો શક્ય ન હોય તો, મીણબત્તી સ્ટેન્ડ અથવા ફોટોગ્રાફ્સ જેવી નાની વસ્તુઓમાં આ રંગોનો સમાવેશ કરો. તેનાથી સકારાત્મક ઉર્જા વધશે, આ સાથે સંબંધોમાં પ્રેમ અને હૂંફ પણ આવશે.
રોઝ ક્વાર્ટઝ અને અન્ય ક્રિસ્ટલ્સનો ઉપયોગ - ફેંગશુઈમાં ક્રિસ્ટલને સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. રોઝ ક્વાર્ટઝ, જેને પ્રેમના રત્ન તરીકે પણ ઓળખવામાં આવે છે, બેડરૂમના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખવાથી વિવાહિત જીવનમાં પ્રેમ અને સુમેળ વધે છે. રોઝ ક્વાર્ટઝ સંબંધોને મજબૂત કરવામાં અને ભાવનાત્મક સંતુલન જાળવવામાં મદદ કરે છે.
અરીસા અને પાણીના તત્વથી રક્ષણ - ફેંગશુઇમાં અરીસાઓનું યોગ્ય સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેડરૂમમાં અરીસાને એવી રીતે ન લગાવો કે તે પલંગ પર સૂતા વ્યક્તિને બતાવે. આમ કરવાથી સંબંધોમાં તણાવ અને મતભેદ વધી શકે છે.
આવી જ રીતે, બેડરૂમમાં એક્વેરિયમ, પાણીના ચિત્રો અથવા ફુવારા જેવા પાણીના તત્વો ન રાખો. આ વસ્તુઓ બેડરૂમમાં અસ્થિરતા અને નકારાત્મક ઉર્જાનું કારણ બને છે.
ફૂલોનો ઉપયોગ - તાજા અને સુગંધિત ફૂલો પ્રેમ અને સંવાદિતા વધારવામાં મદદરૂપ થાય છે. ગુલાબ અને કમળના ફૂલોને વિશેષ શુભ માનવામાં આવે છે. તમારા બેડરૂમમાં હંમેશા તાજા ફુલો જ રાખો.
સુગંધિત મીણબત્તીઓ અને સુગંધ - બેડરૂમમાં સુગંધિત મીણબત્તીઓ સળગાવવાથી સકારાત્મક અને રોમેન્ટિક વાતાવરણ બને છે. આ સાથે સુગંધથી તમારા બંનેનો મુડ પણ હળવો રહેશે.
જૂની વસ્તુઓ દૂર કરો - બેડરૂમમાં જૂની, તૂટેલી કે ક્ષતિગ્રસ્ત વસ્તુઓ ન રાખો. આ વસ્તુઓ નકારાત્મક ઉર્જા ફેલાવે છે. આ વસ્તુઓના કારણે ઘરમાં કંકાસ થઈ શકે છે. જેથી આવી વસ્તુઓને ઘરમાંથી દુર કરવી જોઈએ.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
