શમીના વૃક્ષના પૂજાથી શનિદેવ થશે પ્રસન્ન, આ ઉપાયથી દૂર થશે તમામ દુઃખ
આયુર્વેદિક રીતે શમીનું વૃક્ષ અત્યંત ગુણકારી ઔષધિ મનાયું છે. આમ તો શમીના વૃક્ષમાં અનેક દેવી દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે
આયુર્વેદિક રીતે શમીનું વૃક્ષ અત્યંત ગુણકારી ઔષધિ મનાયું છે. આમ તો શમીના વૃક્ષમાં અનેક દેવી દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે, પરંતુ આ વૃક્ષ ભગવાન શિવ અને ગણેશનું પ્રિય મનાયું છે. ગણેશજી અને શનિદેવ બંનેને શમીનું વૃક્ષ પ્રિય છે.
આ પણ વાંચો: શનિ જયંતિએ ભૂલથી પણ ન કરશો આ કામ, શનિ થશે કોપાયમાન
શમીના વૃક્ષની પૂજા કરવાથી શનિદેવ અને ભગવાન ગણેશ બંનેની કૃપા મેળવી શકાય છે. આ ઝાડમાં ભગવાન શિવ સ્વયં વાસ કરે છે, જે ગણેશજીના પિતા અને શનિદેવના ગુરુ છે. જો તમારા પર શનિની સાડા સાતી કે પનોતી ચાલતી હોય કે પછી તમે શનિદેવને પ્રસન્ન કરવા ઈચ્છતા હો, તો આટલા આસાન ઉપાય અજમાવો.

શનિદેવને પ્રસન્ન કરવા
- શમીના વૃક્ષના મૂળને કાળો દોરામાં બાંધી તેને ગળામાં કે બાવડા પર પહેરો. આમ કરવાથી શનિદેવ સંબંધિત જેટલા પણ વિકાર છે, તેનું તાત્કાલિક નિવારણ થશે.
- શમીના પંચાંગ એટલે કે ફૂલ, પાન, ડાળી અને રસ તેમજ મૂળનો ઉપયોગ કરવાથી શનિ સંબંધિત દોષમાંથી ઝડપથી મુક્તિ મળે છે.
- નિયમિત રીતે શમીના વૃક્ષની પૂજા કરવામાં આવે અને વૃક્ષ પાસે સરસિયાનો દીવો કરવામાં આવે, તો શનિ દોષના દુષ્પ્રભાવથી બચી શકાય છે.

શુભ ફળ મેળવવા
- શુભ ફળ મેળવવા માટે શમીની ડાળીને રોજ રાત્રે પ્રગટાવીને ઘરના મુખ્ય દ્વાર સામે રાખવાથી દુઃખ દૂર થાય છે. શમીના કાંટાનો ઉપયોગ તંત્ર મંત્ર, બાધા અને નકારાત્મક શક્તિઓના નાશ માટે થાય છે.
- શમીનું વૃક્ષ ઘરથી ઈશાન ખૂણામાં હોય તો તે લાભદાયક છે. શમીના વૃક્ષની હાજરીથી ઘરના વાસ્તુ દોષ પણ દૂર કરી શકાય છે.

આ ઉપાયોથી શનિદેવને કરો પ્રસન્ન
- શનિ કૃપા મેળવવા માટે સૌથી સહેલી રીત છે તમારા ઘરની છત પર શનિવારે કાગડાને કાળા ગુલાબજાંબુ ખવડાવો અને શનિ ભગવાનની મહિમાનું પઠન કરો.
- શનિવારના દિવસે ઘરની નજીક કોઈ કાળા શ્વાનને રોટલી પર સરસિયું ચોપડીને જમાડવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.
- ભગવાન હનુમાન અને શનિ દેવને પ્રસન્ન કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ શનિવાર છે. શનિવારે શનિદેવનું વ્રત કરી તેમની પૂજા કરો. સંધ્યા આરતીમાં હનુમાનજીની ભક્તિ કરો.

આ ઉપાયોથી શનિદેવને કરો પ્રસન્ન
- શક્ય હોય તો કાળા હાથીને ભોજન કરાવી તેમની સેવા કરવાથી પણ તમે શનિદેવને ખુશ કરી શકો છો.
- શનિવારના દિવસે એક વાટકીમાં સરસિયું મૂકીને તેમાં પોતાનો ચહેરો જુઓ. પછી આ તેલનું દાન કરી દો. આમ કરવાથી તમારી શનિ દશામાં સુધારો આવશે. શનિવારે શનિ મંદિરમાં જઈને શનિચાલીસા અને શનિ મંત્રનો પણ પાઠ કરો.
More From
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી







Click it and Unblock the Notifications
