શું તમે જાણો છો કે સગાઈ વખતે શા માટે હાથમાં રિંગ પહેરાવામાં આવે છે?
રિંગ વિના લગ્નની શરૂઆત થતી નથી કારણ કે રિંગ સેરેમનીથી જ સંબંધો જોડવાની પહેલ થાય છે.
ફિલ્મોમાં તમે જોયું જ હશે કે રિંગ સેરમનીને કેટલી ધામધૂમથી ઉજવવામાં આવે છે. ફિલ્મી દુનિયાએ આજે એક ટ્રેન્ડ ઉભો કર્યો છે કે લગ્ન પહેલા કોઈ મોટો પ્રસંગ હોય તો તે છે રિંગ સેરેમની અને મહેંદી. તેની સાથે તમે એ પણ જાણ્યુ જ હશે કે નવા સંબંધની શરૂઆત માટે આ રિંગને કઈ આંગળીમાં પહેરાવામાં આવે છે. પણ શું તમે ક્યારેય જાણ્યુ કે, આ રિંગ સેરેમનીને આટલું મહત્વ કેમ અપાય છે? રિંગ સેરેમની શા માટે રાખવામાં આવે છે? આખરે શા માટે છોકરો-છોકરી લગ્નના પહેલા રિવાજ હેઠળ એકબીજાને રિંગ પહેરાવે છે? જો તમારો જવાબ ના હોય તો આજે અમે તમને આ વિશે જણાવિશું..

સંબંધો જોડાવાની શરૂઆત
વીંટી વિના લગ્નની શરૂઆત નથી થતી. કારણ કે રિંગ સેરેમનીથી જ સંબંધો જોડાવાની પહેલ થાય છે, તેને પ્રેમનું પહેલું નજરાણું પણ કહે છે. તેની સાથે જ સ્ત્રીઓના વિવિધ શ્રૃંગારોમાંનું એક શ્રૃંગાર એ વીંટી છે. જો કે તમારામાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે કે તેનું વૈજ્ઞાનિક અને અધ્યાત્મિક મહત્વ પણ છે.

શ્રંગારોમાંનું એક શ્રૃંગાર એટલે વીંટી
મહિલાઓના 16 શ્રૃંગારોમાંનું એક શ્રૃંગાર વીંટી છે. આ 16 શ્રૃંગારમાં 12મો શ્રૃંગાર મનાય છે. સગાઈની વીંટી હંમેશા ત્રીજા નંબરની આંગળીએ પહેરવામાં આવે છે. જેને રિંગ ફિંગર કહે છે. એવું કહેવાય છે કે આ આંગળીની નસ સીધી દિલ સુધી જાય છે.

હર્ષ અને ઉન્નતિનો અહેસાસ
વીંટી પહેરવાથી હાથોની આંગળીઓ પર એક સમાન પ્રેશર જળવાઈ રહે છે. જે આ ભાગમાં લોહીના ભ્રમણનું સંતુલન જાળવી રાખે છે. આજ કારણે વધુ ઘરેણા પહેરનારા લોકોને બીપીની તકલીફ રહેતી નથી. વીંટી જો સોનાની હોય તો તે વ્યકિતને ખુશીઓ અને ઉન્નતિનો અહેસાસ કરાવે છે અને જો ચાંદીની હોય તો તે વ્યકિતને ધૈર્ય પ્રદાન કરે છે.

ધાતુ પ્રમાણે અસર
વીંટી મોતીની હોય તો તે વ્યકિતના ગુસ્સાને શાંત કરે છે અને જો હીરાની હોય તો વ્યકિતને ધની હોવાની માનસિકતાનો અહેસાસ કરાવે છે. તેની સાથે જ તે વ્યકિતના મગજને સ્વસ્થ રાખે છે. કારણ કે હીરાને કારણે નેગેટીવ વિચારો અને નકારાત્મક ઉર્જાનો અંત થાય છે. હાથની નાની આંગળીમાં વીંટી પહેરવાથી છાતીના દુઃખાવા અને અસ્થમામાં ફાયદો મળે છે. તાંબાની વીંટી પહેરનાર વ્યકિતને પેટના રોગોમાંથી મુક્તિ મળે છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
