Magh Month 2023 : ક્યારે શરૂ થાય છે મહા મહિનો? જાણો મહા મહિનાનું મહાત્ય
મહા મહિના પહેલાં પોષ મહિનો હોય છે, અને મહા બાદ ફાગણ મહિનો આવે છે. મહા મહિનામાં સૂર્ય, ગંગા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ સાથે મહા મહિનામાં ગંગા સ્નાનથી પુણ્ય મળે છે, તેવી માન્યતા છે.
Magh Month 2023 : અંગ્રજી કેલેન્ડર સાથે સાથે આપણે ગુજરાતી કેલેન્ડરને પણ મહત્વ આપીએ છીએ. આપણે મોટા ભાગના તહેવાર ગુજરાતી કેલેન્ડર મુજબ ઉજવીએ છીએ, જેમાં માત્ર મકર સંક્રાંતિ અપવાદ છે. મહા મહિનો એ હિંદુ વૈદિક પંચાગ મુજબ વિક્રમ સંવતનો ચોથો મહિનો છે.

મહા મહિના પહેલાં પોષ મહિનો હોય છે, અને મહા બાદ ફાગણ મહિનો આવે છે. મહા મહિનામાં સૂર્ય, ગંગા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ સાથે મહા મહિનામાં ગંગા સ્નાનથી પુણ્ય મળે છે, તેવી માન્યતા છે.
મહા મહિનામાં ભગવાન વિષ્ણુ અને સૂર્ય ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. આ સાથે સાથે મૃત્યુ બાદ મોક્ષ મળે છે. વર્ષ 2023માં 16 જાન્યુઆરી, 2023 થી મહા મહિનો શરૂ થશે. હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર ગણાતા મહા માસને લઈને કેટલાક નિયમો આપવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી આ જીવનમાં જ નહીં પરંતુ આગામી જીવનમાં પણ ઘણો ફાયદો થાય છે.
મહા મહિનામાં શું કરવું અને શું નહીં
મહા મહિનામાં પવિત્ર નદીઓમાં અવશ્ય સ્નાન કરવું જોઈએ, ગંગા નદીમાં સ્નાન કરવાનું શક્ય હોય તો કરવું જોઈએ. જો આ શક્ય ન હોય તો નહાવાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકો છો. મહા માસમાં વહેલી સવારે સ્નાન કરીને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાથી ઘણા લાભો થાય છે.
આ ઉપરાંત મહા મહિનામાં દરરોજ ગીતાના પાઠ કરવા જોઈએ. આવું કરવાથી મન શાંત રહે છે, અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે. આ સાથે સાથે તમારા જીવનમાં સકારાત્મકતા, સુખ અને સમૃદ્ધિ વધે છે.
મહા મહિનામાં દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરો. તેની સાથે પૂજામાં તેમને તલ અવશ્ય ચઢાવો. એવી માન્યતા છે કે, ભગવાન વિષ્ણુની પૂજામાં તલ ચઢાવવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે. આ સિવાય રોજ તલ ખાવાથી અને પાણીમાં તલ ભેળવીને સ્નાન કરવાથી પણ ઘણું પુણ્ય મળે છે.
ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે મહા મહિનામાં દરરોજ સવાર-સાંજ તુલસીજીની પૂજા કરો. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે. આ સાથે આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
મહા મહિનામાં દાન કરવાનું પણ મહત્વ છે. આ મહિના દરમિયાન ગરમ વસ્ત્રોનું દાન અને તલનું દાન કરવાથી ઘણો લાભ મળે છે.
મહા મહિનામાં ક્યારેય પણ નોન-વેજ આલ્કોહોલ જેવી પ્રતિશોધક વસ્તુઓનું સેવન ન કરો. આ ઉપરાંત મહા મહિનામાં મૂળાનું સેવન પણ વર્જિત હોવાનું જણાવવામાં આવ્યું છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર, મહા મહિનામાં મૂળાનું સેવન કરવું એ દારૂનું સેવન કરવા જેવું માનવામાં આવે છે.
મહા સુદ પૂર્ણિમા (માઘ પૂર્ણિમા)ના રોજ સંત શિરોમણી રવિદાસની જન્મજયંતિ છે. સંત રવિદાસ કહેતા કે, મન ચંગા તો કઠૌતી મેં ગંગા. જેનો ગુજરાતીમાં અર્થ એવો થાય છે કે, મન પવિત્ર હોય, તો કથરોટમાં પણ ગંગા અવતરણ કરે છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
