દિવાળીમાં લક્ષ્મી સાથે ગણપતિની પૂજા પાછળનુ રહસ્ય
દિવાળીના સમયે માતા લક્ષ્મી અને ગણપતિની એકસાથે પૂજા કરવા પાછળ શું રહસ્ય છે તે જાણો અહી...
દિવાળીમાં ઘરે-ઘરે માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરવામાં આવે છે. જેમાં લક્ષ્મીની સાથે ગણપતિની પૂજા પણ કરવામાં આવે છે.જ્યારે લક્ષ્મીએ ભગવાન વિષ્ણુની પ્રિય છે. તો પછી શું કારણ છે કે, વિષ્ણુને બદલે ગણેશ સાથે લક્ષ્મીની પૂજા કરવાની પ્રથા પ્રચલિત છે. લક્ષ્મી ધનની દેવી છે અને તેમની સવારી ઘુવડ છે. સામાન્ય રીતે ઘુવડ મુર્ખોની શ્રેણીમાં આવે છે. ઘુવડ દિવસે નહિં પરંતુ રાત્રે દેખાય છે.એટલે કે, તે રાત્રી ચર પાણી છે. પરિણામે એવુ મનાય છે, કે લક્ષ્મી પણ રાત્રે વિચરણ કરે છે.

લક્ષ્મી ધનનુ પ્રતિક, જ્યારે ગણપતિ વિવેકનુ પ્રતિક
પૈસાની અતિ થતા લોકો હંમેશા પોતાનો વિવેક ખોઈ દે છે અને ધનનો દૂરઉપયોગ કરતા થઈ જાય છે. ધનનો સદઉપયોગ થાય, તેનો વિકાસમાં અને પરોપકારમાટે ઉપયોગ થાય તે માટે સદબુધ્ધિનુ હોવુ અત્યંત જરુરી છે. ગણપતિ બુધ્ધિના દેવતા છે. તેમની બે પત્નીઓ રિધ્ધિ અને સિધ્ધિ ઉપરાંત બે પુત્રો શુભ અને લાભ છે. માતા લક્ષ્મી ધનનુ પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે ગણેશજી વિવેક અને બુધ્ધિનુ પ્રતિક છે. વિવેક વિના લક્ષ્મીનુ શુભ અને લાભ ન થઈ શકે.
દિવાળી પર લક્ષ્મી સાથે વિવેકની પણ આરાધના કરવી
આ કારણથી જ દિવાળીના પર્વે લક્ષ્મી સાથે ગણપતિની આરાધના કરવામાં આવે છે. દિવાળીના શુભ દિવસે ધન વૃધ્ધિની કામના સાથે વિવેકની આરાધના પણ કરવી જોઈએ. કારણકે ધન આવે પણ વિવેક નહિ આવે તો, લક્ષ્મીનો સદઉપયોગ થઈ શકશે નહિં.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
