આસો નવરાત્રિની પૌરાણિક કથાથી જાણો કેમ ખાસ માનવામાં આવે છે આ નવ દિવસ
આજે આ લેખના માધ્યમથી જાણીએ કલ્યાણકારી આસો નવરાત્રિ સાથે જોડાયેલી પૌરાણિક કથા.
દૂર્ગામાતાની આરાધના માટે નવરાત્રિનો સમય સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. હિંદુ પંચાંગ મુજબ આસો મહિનાની સુદ એકમે નવરાત્રિ પ્રારંભ થાય છે. આ શુભ સમયે માતાના અલગ અલગ નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. આ વર્ષે નવરાત્રિનો તહેવાર 17 ઓક્ટોબરથી શરૂ થશે. માનવામાં આવે છે કે આ દરમિયાન દૂર્ગા માની વિશેષ પૂજા કરવાથી મનવાંછિત ફળ મળે છે. આજે આ લેખના માધ્યમથી જાણીએ કલ્યાણકારી આસો નવરાત્રિ સાથે જોડાયેલી પૌરાણિક કથા.

વર્ષમાં આવે છે ચાર નવરાત્રિ
વર્ષમાં માતાને સમર્પિત નવરાત્રિનો પર્વ ચાર વાર આવે છે જેમાં ચૈત્ર નવરાત્રિ,આસો નવરાત્રિ અને બે ગુપ્ત નવરાત્રિ શામેલ છે. ગુપ્ત શક્તિઓ માટે આરાધના કરતા ભક્તો માટે ગુપ્ત નવરાત્રિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વળી, સામાન્ય જન માટે ચૈત્ર નવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. નવરાત્રિનો દરેક દિવસ માતાના અલગ રૂપને સમર્પિત હોય છે.

આસો નવરાત્રિની પૌરાણિક કથા
શાસ્ત્રો અનુસાર નવરાત્રિનો તહેવાર મનાવવા પાછળ મુખ્ય બે કારણ જણાવવામાં આવ્યા છે. પહેલી પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. તે બ્રહ્માજીનો પરમ ભક્ત હતો. તેણે પોતાની કઠોર તપસ્યાથી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને એક વરદાન મેળવી લીધુ. વરદાનમાં તેણે માંગ્યુ કે કોઈ પણ દેવ, દાનવ કે પૃથ્વી પર રહેતો કોઈ પણ મનુષ્ય તેને મારી નહિ શકે. વરદાન મળ્યા બાદથી મહિષાસુર ખૂબ જ નિર્દયી થઈ ગયો. તેણે ત્રણે લોકમાં આતંક મચાવી દીધો. તેના આતંકથી પરેશાન થઈને દેવી દેવતાઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે મળીને મા શક્તિ રૂપે દૂર્ગાને જન્મ આપ્યો. દૂર્ગા માતા અને મહિષાસુ વચ્ચે નવ દિવસ સુધી ભીષણ યુદ્ધ થયુ અને છેવટે દસમા દિવસે મા દૂર્ગાએ મહિષાસુરનો વધ કરી દીધો. આ દિવસે અનિષ્ટ પર સારાઈની જીત તરીકે મનાવવામાં આવે છે.

ભગવાન શ્રીરામ સાથે જોડાયેલી કથા
નવરાત્રિ સાથે જોડાયેલી બીજી પૌરાણિક કથા મુજબ શ્રીરામે લંકા પર આક્રમણ કરીને પૂર્વ અને રાવણ સાથ યુદ્ધમાં વિજય મેળવવા માટે શક્તિની દેવી માતા ભગવતીની આરાધના કરી હતી. ભગવાન રામે નવ દિવસ સુધી રામેશ્વરમમાં માતાની પૂજા-અર્ચના કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને માતાએ તેમને લંકા વિજયી થવાના આશીર્વાદ આપ્યા. દસમાં દિવસે પ્રભુ શ્રીરામે લંકેશ્વર રાવણને યુદ્ધમાં હરાવીને તેમનો વધ કર્યો અને લંકા પર વિજય મેળવ્યો. નવરાત્રિ બાદ દસમાં દિવસને વિજયા દશમી તરીકે મનાવવામાં આવે છે.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
