શું છે હિંદુ વિવાહમાં 7નું મહત્વ, કેમ 7 ફેરા વગર લગ્ન અધૂરા?
પરંપરાઓ અને સંસ્કૃતિના આપણાં દેશમાં સૌથી મોટો સંસ્કાર વિવાહ છે. વિવાહ દ્વારા માણસ પોતાના ગૃહસ્થ જીવનની શરૂઆત કરે છે. પોતાના સંતાનોને જન્મ આપી, તેમને સારો ઉછેર આપીને પોતાની જવાબદારીઓ પૂર્ણ કરે છે. વૈદિક રીત રીવાજોને માનનાર લોકો સામાન્ય રીતે કહે છે કે જ્યાં સુધી લગ્નના સાત ફેરા ન લેવામાં આવે ત્યાં સુધી કોઈ પણ લગ્ન અધૂરા છે.
જ્યાં સુધી સાત ફેરા ન થાય ત્યાં સુધી પતિ-પત્ની નહિં...
આ સાત ફેરા જ દંપતિને સાત જન્મ સુધીના સાથી બનાવે છે. પરંતુ શું આપે કદી વિચાર્યું છે કે હંમેશા સાત ફેરા કે સાત જન્મની વાત જ કેમ થતી હોય છે.

અઠવાડિયું 7 દિવસનું
કહેવામાં આવે છે કે વર્ષને નાનું કરવા માટે સમયને અઠવાડિયામાં વહેચવામાં આવ્યો. અઠવાડિયુ સાત દિવસનું હોય છે, અને પતિ-પત્નીને સાથે રાખવા માટે સાત ફેરા અને સાત જન્મની વાત કરવામાં આવે છે.

ભગવાનના રથમાં 7 ઘોડા
પૂજ્ય સૂર્ય ભગવાનના રથમાં 7 ઘોડા છે, અને એટલે પણ 7ને શુભ માનવામાં આવે છે.

ઈન્દ્રધનુષના રંગ પણ 7
ઈન્દ્રધનુષના રંગ પણ 7 હોય છે. તેથી જ ઈન્દ્રધનુષને પણ શુભ માનવામાં આવે છે.

7 પગલા
કહેવાય છે કે માત્ર 7 પગલા સાથે ચાલીને માણસ એકબીજાનો સારો મિત્ર બની જાય છે. અને એટલે જ લગ્ન મંડપમાં જ્યારે 7મો ફેરો પૂરો થાય છે ત્યારે વર વધુને કહે છે કે તેઓ જીવનભર એકબીજાના મિત્ર બનીને રહેશે.

7 સ્વર
ભારતીય સૂર પણ 7 છે, જે એકબીજા વગર અધૂરા છે. જ્યારે આ 7 સૂરને અલગ અલગ કરી દેવામાં આવે તો એકનું મહત્વ નથી રહેતુ. અને અવું જ ગૃહસ્થ જીવનનું પણ છે. જો બંને સાથે ચાલે તો જ જીવનની ગાડી બરાબર ચાલે છે.

7 ક્રિયાઓ
શૌચ, દાંત સાફ કરવા, સ્નાન, ધ્યાન, ભોજન, ભજન, અને શયન આ 7 ક્રિયાઓ મનુષ્યના જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. જીવનને સારી રીતે જીવવા માટે આ 7 નિત્યક્રમ જરૂરી હોય છે અને એટલે પણ 7 નંબરને શુભ માનવામાં આવે છે.

7 લોકોનું સન્માન
શાસ્ત્રોમાં માતા, પિતા, ગુરૂ, ઈશ્વર, સૂર્ય, અગ્નિ અને અતિથિના સન્માનની વાત કરવામાં આવી છે. અને એટલે જ 7 ફેરા અને 7 જન્મની વાત કરવામાં આવે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
