ધર્મ : ગુરૂવારે આ રીતે કરો ભગવાન વિષ્ણુની પૂજા, થશે લગ્ન
જે જાતકોના લગ્નમાં અડચણો આવી રહી છે, અથવા તમામ પ્રયત્નો છતાં પણ તમારી દિકરી માટે યોગ્ય વર મળતો નથી તો એવા લોકોને હેરાન થવાની જરૂર નથી, કારણ કે તે માટે ભગવાન વિષ્ણુની પૂજા, ઉત્તમ ઉપાય છે
જે જાતકોના લગ્નમાં અડચણો આવી રહી છે, અથવા તમામ પ્રયત્નો છતાં પણ તમારી દિકરી માટે યોગ્ય વર મળતો નથી તો એવા લોકોને હેરાન થવાની જરૂર નથી, કારણ કે તે માટે ભગવાન વિષ્ણુની પૂજા, ઉત્તમ ઉપાય છે. તમામ મુશ્કેલીઓને દૂર કરવા માટે ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. જો તમારા પણ લગ્ન ન થતા હોય તો આજથી જ ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની શરૂ કરી દો. શક્ય હોય તો આ દિવસે વ્રત કરો અને કેળાના ઝાડને જળ ચઢાવો. વિષ્ણુ લગ્નજીવનને ખુશખુશાલ કરે છે અને તેમની પૂજાથી વિવાહ શક્ય બને છે.

પૂજા વિધિ
સવારે વહેલા ઊઠી સ્નાન પતાવો અને પીળા વસ્ત્રો ધારણ કરો. આ દિવસે ઉપવાસ કરો. વિષ્ણુને બેસનના લાડવાનો ભોગ લગાવો અને બૃહસ્પતિની પણ પૂજા કરો અને ભોગ લગાવો. આ દિવસે જમવામાં મીઠુ લેવું નહિં. ભગવાનની ચોકી પર પીળુ વસ્ત્ર પાથરો અને વિષ્ણુની મૂર્તિ મુકી તેની પૂજા કરો. ભગવાન વિષ્ણુની સામે દીવો કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. ગુરુવારની કથા-વાર્તા વાંચો. પૂજામાં કેસરિયા ચંદન, પીળા ચોખા, પીળા ફૂલ અને બેસનના લાડુનો ઉપયોગ કરો. માથે હળદરનો તિલક લગાવો અને પ્રસાદ જરૂર ગહણ કરો.

ગુરુ મંત્રનો જાપ
ગુરૂવારના કરવામાં આવતી ગુરૂની પૂજાનું મહત્ત્વ કઇંક વધારે છે. ભગવાન વિષ્ણુને રીઝવવા માટે તમે ગુરૂમંત્રનો જાપ પણ કરી શકો છો. પૂજા સમયે 108 ગુરુ મંત્ર 'ऊँ बृं बृहस्पते नमः' નો જાપ કરો. આ દિવસે ગોળ ખાઈને ઘરેથી નીકળવું. આથી તમારો આખો દિવસ મંગલમય રહેશે.

લગ્ન માટે
જે લોકોના લગ્નમાં અડચણ આવી રહી છે. તેઓ ગુરુવારના દિવસે પાણીમાં એક ચપટી હળદર નાખી સ્નાન કરે. ગુરુવારના દિવસે કેળાના ઝાડને કાચુ દૂધ ચઢાવાથી તમારી મનોકામના પૂરી થાય છે.

દરિદ્રતા દૂર કરવા
જો આર્થિક સ્થિતિ સારી ન રહેતી હોય, ઘરમાં પૈસા ટકતા ન હોય અથવા નકામા કામો પાછળ પૈસા પાણીની જેમ ખર્ચાઈ જતા હોય તેની માટે ગુરુવારના દિવસે સ્નાન-ધ્યાન કરી ભગવાન વિષ્ણુના નામનો પાઠ કરવાથી ઘરની દરિદ્રતાને પણ દૂર કરી શકાય છે. આર્થિક સ્થિતિને સુધારી શકાય છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
