Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નવરાત્રીઃ ચોથા દિવસે થાય છે ‘મા કૂષ્માંડા’ની પૂજા

  • નવરાત્રીનો ચોથો દિવસઃ કુષ્માંડા
  • રૂપઃ સરસ, સૌમ્ય, મોહક
  • ભુજાઓઃ આઠ
  • વાહનઃ સિંહ
  • પૂજા કરવાથી સમસ્ત રોગનો નાશ થાય છે

નવરાત્રીમાં ચોથા દિવસે દેવીના કુષ્માંડાના રૂપની પૂજા કરવામાં આવે છે. માતાનું આ રૂપ બહુ શાંત, સૌમ્ય અને મોહક છે. તેમની આઠ ભુજાઓ છે, માટે તેમને અષ્ટભુજા પણ કહેવાય છે. દેવીના સાત હાથોમાં ક્રમશઃ કમંડલ, ધનુષ, બાણ, કમળ- પુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર અને ગદા છે. આઠમા હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓ આપતી જપ માળા છે. આ દેવનું વાહન સિંહ છે.

maa kushmanda

સૂર્યલોકમાં રહેવાની શક્તિ

આ દેવીનો વાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે. સૂર્યલોકમાં રહેવાની ક્ષમતા માત્ર તેમનામાં જ છે. માટે તેમના શરીરની કાંતિ અને પ્રભા સૂર્યની જેમ દૈદીપ્યમાન છે. આમના જ તેજથી દશેય દિશાઓ આલોકિત છે. બ્રહ્માંડની તમામ વસ્તુઓ અને પ્રાણિઓમાં તેમનું જ તેજ વ્યાપ્ત છે. મા કૂષ્માંડાની પૂજા નિમ્નલિખિત મંત્રથી કરવી જોઈએ.

या देवी सर्वभू‍तेषु मां कूष्माण्डा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું થયું, ત્યારે આ દેવીએ બ્રહ્માંડની રચના કરી હતી. એટલે કે તેઓ જ સૃષ્ટિના આદિ-સ્વરૂપા, આદિશક્તિ છે. મા કૂષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોક મટી જાય છે. તેમની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે.

આ પણ વાંચો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X