For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિન્દ્રા XUV300માં છે આ ફોલ્ટ, કંપનીએ માર્કેટમાંથી કાર પાછી મંગાવી

મહિન્દ્રા XUV300માં છે આ ફોલ્ટ, કંપનીએ માર્કેટમાંથી કાર પાછી મંગાવી

|
Google Oneindia Gujarati News

મહિન્દ્રાએ ભારતીય બજારમાંથી એકસયૂવી300 ને પાછી મંગાવવાની જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, મહિન્દ્રા એકસયૂવી300 ના 19 મે 2019 પહેલા બનેલા મર્યાદિત બેચનાં મોડેલોમાં ખામી છે. અગાઉના મહિન્દ્રા એકસયૂવી300 ના મોડેલોના સસ્પેન્શન સાધનોમાં ખામી હોવાને કારણે કારોને પાછી મંગાવવામાં આવી છે. કંપનીએ પરીક્ષણ અને સુધારા માટે તમામ કારને પાછી મંગાવી છે.

એકસયૂવી300માં ખામી

એકસયૂવી300માં ખામી

કંપની મહિન્દ્રા એકસયૂવી300 માં આવેલી ખામીમાં નિ:શુલ્ક સુધારો કરશે. આનાથી કેટલી કારો પ્રભાવિત થઈ છે, મહિન્દ્રાએ આ વિશે કોઈ માહિતી આપી નથી, જો કે કંપની દરેક ગ્રાહકને બોલાવીને આ ખામીને તપાસવાની છે.

વેચાણ સારું રહ્યું

વેચાણ સારું રહ્યું

ચાલો તમને જણાવી દઈએ કે મહિન્દ્રા એકસયૂવી300 ને ગયા વર્ષે બહરતમાં લોન્ચ કરવામાં આવી હતી અને આ કાર ખૂબ જ પ્રખ્યાત થઈ છે. છેલ્લા કેટલાક મહિનામાં તેનું વેચાણ પણ સારું રહ્યું છે.

આ મોડેલોમાં ખામી

આ મોડેલોમાં ખામી

મહિન્દ્રાએ તાજેતરમાં જ આ વાતની જાણકારી આપી છે કે આ મોડેલોમાં ખામી સર્જાવાની સંભાવના છે અને તેને સંપૂર્ણ રીતે ઠીક કરવાની ખાતરી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે આનાથી દેશભરના હજારો ગ્રાહકોને અસર થશે.

એન્જીન

એન્જીન

કંપનીએ આ એકસયૂવીને બે એન્જિન 1.2 લિટર ટર્બો પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિન સાથે ઉપલબ્ધ કરાવ્યું છે. આની સાથે મહિન્દ્રા એકસયૂવી300 માં ઘણી સુવિધાઓ અને ઉપકરણો આપવામાં આવ્યા છે.

51,896 યુનિટનું વેચાણ

51,896 યુનિટનું વેચાણ

મહિન્દ્રા એક્સયુવી300 કંપનીના દેશમાં સૌથી વધુ વેચાણ થનારા વાહનોમાંની એક છે. તાજેતરમાં જ, કંપનીએ જાહેરાત કરી છે કે ઓક્ટોબર 2019 માં, કંપનીએ 51,896 યુનિટ વાહનોનું વેચાણ કર્યું છે.

પેસેન્જર વાહનોના વેચાણમાં 18 ટકાનો ઘટાડો

પેસેન્જર વાહનોના વેચાણમાં 18 ટકાનો ઘટાડો

જોકે, મહિન્દ્રાના ગયા વર્ષની તુલનામાં પેસેન્જર વાહનોના વેચાણમાં 18 ટકાનો ઘટાડો થયો છે. ગયા મહિને, કંપનીએ પેસેન્જર વ્હિકલ સેગમેન્ટમાં 18,460 યુનિટનું વેચાણ કર્યું છે.

તમારી કારમાં ખામી હોય તો આવી રીતે જાણ કરો

તમારી કારમાં ખામી હોય તો આવી રીતે જાણ કરો

મહિન્દ્રા એકસયૂવી300 માં આવેલી ખામી વિશે વાત કરીએ તો, કંપની ગ્રાહકોનો સંપર્ક સાધવા જઈ રહી છે, પરંતુ જો ગ્રાહક ઈચ્છે તો નજીકના ડીલરશીપમાં જઈને પણ આ વાતની માહિતી મેળવી શકે છે.

અમારો વિચારો

અમારો વિચારો

આ પ્રકારની ખામી મહિન્દ્રા એકસયૂવી300 ના હજારો મોડેલોમાં થઈ શકે છે. તેમ છતાં કંપની તેને નિ:શુલ્ક ઠીક કરવા જઈ રહી છે પરંતુ ઉત્પાદન દરમિયાન આવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

મારુતિ સુઝુકીનો બીએસ -4 સ્ટોક સમાપ્ત થવાની તૈયારીમાં, આ છે કારણમારુતિ સુઝુકીનો બીએસ -4 સ્ટોક સમાપ્ત થવાની તૈયારીમાં, આ છે કારણ

English summary
Mahindra recalls their faulty car XUV300 from market
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X