આ દિવસે લોન્ચ થઇ શકે છે Royal Enfieldની હિમાલયન BS-IV
રોયલ એનફીલ્ડ હિમાલયન BS4(એબીએસ સંસ્કરણ) ભારતમાં જલ્દી જ જોવા મળશે. હાલના મોડલનું વેચાણ બંધ કરવામાં આવશે.
ઉપલબ્ધ માહિતી અનુસાર રોયલ એનફિલ્ડ નું હિમાલયન મોડલ એપ્રિલમાં ભારત માં લોન્ચ થઇ શકે છે. અત્યારે હિમાલયન 4 ફ્યૂલ ઇંજેક્શન સિસ્ટમ અને એબીએસ સાથે યુકેમાં વેચાઇ રહી છે અને તે જલ્દી જ ભારતમાં પણ જોવા મળશે.

આશા છે કે આ બાઇક ભારતમાં જલ્દી જ કેટલાક નવા એપગ્રેડેશન સાથે જોવા મળશે. સૂ્ત્રોના જણાવ્યા અનુસાર એનફિલ્ડ બ્રિટનના એબીએસ મોડલને ભારતમાં પણ લોન્ચ કરશે, જો કે આ વાતની હજુ પુષ્ટિ કરવામાં નથી આવી. રોયલ એનફિલ્ડ હિમાલયન એક કે તેથી વધુ પરિષ્કૃત એન્જિન અને એક અદ્યતન ક્લચ અસેમ્બલી સાથે આવશે.

ખબરો અનુસાર આ એનફિલ્ડના આ મોડલની બૂકિંગ શરૂ થઇ ચૂકી છે, પરંતુ નવી રોયલ હિમાલયનનું બૂકિંગ હજુ શરૂ નથી થયું. આ મોડલ ભારતમાં એપ્રિલમાં લોન્ચ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, રોયલ એનફિલ્ડ હિમાલયન ભારતમાં વર્ષ 2016માં લોન્ચ થઇ હતી. લોન્ચ થયા બાદ તેની ખૂબ આલોચના પર કરવામાં આવી હતી. જે પછી તેમાં કેટલાક યાંત્રિક સુધારા પણ કરવામાં આવ્યા હતા. સુધારા બાદ ભારતમાં રોયલ એનફિલ્ડના વેચાણમાં કેટલેક અંશે વધારો જોવા મળ્યો હતો. આશા છે કે, બીએસ4 મોડલ લોકોની આશા પૂરી કરી શકશે.

બીએસ4 મોડલ ભારતમાં 411 સીસી, સિંગલ સિલિન્ડર ઓઇલ અને એર કૂલ્ડ એન્જિન સાથે લોન્ચ થશે, જે 24.5 બીએચપીના પાવર સાથે 32 એનએમ ટોંકને પ્રોડ્યૂસ કરશે, જે 5 સ્પીડ ગિયરબોક્સથી ઓછું હશે. રોયલ એનફિલ્ડની બીએસ4 મોડલની આ બાઇક આવતા વર્ષ સુધીમાં ભારતમાં એબીએસ સાથે આવી શકે છે.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો









Click it and Unblock the Notifications
