Chandrayaan 3 : ચંદ્રયાનના સફળ લેન્ડિંગ માટે લખનૌ ઇદગાહમાં બાળકોએ નમાઝ અદા કરી, જાણો શું ઇમામે?

ભારતનું ચંદ્રયાન અવકાશમાં મોટી ઉપબલ્ધી હાંસલ કરવાથી માત્ર 24 કલાક દુર છે. 23 ઓગસ્ટે ચંદ્રયાન ચંદ્રની ધરતી પર ઉતરવા જઈ રહ્યું છે ક્યારે ભારતના તમામ લોકો તેની સફળતાની દુઆ કરી રહ્યા છે. આ ક્રમમાં લખનૌમાં નમાઝ અદા કરવામાં આવી.

ઉત્તર પ્રદેશના લખનૌમાં ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે સ્થાનિક મુસ્લિમ બિરાદરોએ ઈસ્લામિક સેન્ટર ઓફ ઈન્ડિયામાં નમાઝ અદા કરી હતી. આ મુદ્દે વાત કરતા લખનૌ ઇદગાહના ઇમામ ખાલિદ રશીદ ફરંગી મહાલીએ જણાવ્યુ કે, બાળકોએ ઇસ્લામિક સેન્ટર મદરેસામાં નમાજ અદા કરી અને ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના કરી.

Namaz

તેમણે આગળ જણાવ્યુ કે, આવતીકાલે ચંદ્ર પર ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે ઇસ્લામિક સેન્ટર મદરેસાના બાળકોએ પ્રાર્થના કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, હિંદુ અને મુસ્લિમ ધર્મમાં ચંદ્રનું મહત્વ છે, જેના કારણે અમને આ મિશન સાથે લગાવ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ઇસ્લામિક સેન્ટર મદરેસામાં બાળકો સાયન્સનો પણ અભ્યાસ કરી રહ્યા છે અને તેઓમા ઘણી ઉત્સુકતા છે. હું મારા હૃદયપૂર્વક અભિનંદન આપું છું. ISROના તમામ વૈજ્ઞાનિકો અને અધિકારીઓને અભિનંદન.

જણાવી દઈએ કે, ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગ માટે કાશીમાં પૂજા શરૂ કરાઈ છે. કાશીના ઘણા પ્રસિદ્ધ મંદિરોમાં હવનની પૂજા કરવામાં આવશે અને હનુમાન ચાલીસાના પાઠ કરાશે.

આ સિવાય ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગ માટે 21 ઓગસ્ટે વારાણસીના કામાખ્યાના મંદિરમાં હવન પૂજા સાથે વિશેષ પ્રાર્થના કરાઈ હતી. લોકો ચંદ્રયાન-3નો ફોટો લઈને મંદિર પહોંચ્યા અને પૂજા કરીને ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે શુભેચ્છા પાઠવી હતી.

જણાવી દઈએ કે 23 ઓગસ્ટે ISRO ચંદ્રયાન-3ને ચંદ્ર પર ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. જો ચંદ્રયાન 3 સફળતાપૂર્વક ઉતરશે તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન ઉતરનાર પ્રથમ દેશ બનશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X