પ્લેનમાં ફોનને ફ્લાઈટ મોડમાં ન રાખીએ તો ફ્લાઈટ ક્રેશ થાય? જાણો શું હોય છે ફ્લાઈટ મોડનું કામ?
હાલના દરેક સ્માર્ટ ફોનમાં ફ્લાઈટ મોડનું ફિચર હોય છે. જો કે મોટાભાગના લોકો આ ફિચરનો સાચો ઉપયોગ જાણતા નથી. નેટવર્કને રિસેટ કરવા સિવાય તેનો કોઈ ઉપયોગ નથી કરતુ ત્યારે તેના વિશે કેટલીક એવી બાબતો છે જાણવી જરૂરી છે.
ફ્લાઈટ મોડ ફિચરને હવાઈ મુસાફરી માટે વિકસાવાયુ છે. તમે પણ પ્લેની મુસાફરી દરમિયાન ફ્લાઈટ એટેન્ડેંટ પાસેથી ફોનને ફ્લાઈટ મોડમાં કરવાની સૂચના સાંભળી હશે. હવે સવાલ એ છે કે જો ફોનને ટેક ઓફ દરમિયાન ફ્લાઈટ મોડમાં રાખવામાં ન આવે તો શું થાય?

ફોનમાં ફ્લાઇટ મોડ, એરપ્લેન મોડ અથવા સ્ટેન્ડઅલોન મોડના બટન હોય છે. આ તમામનું એક જ કામ છે. ફ્લાઇટ મોડ ઓન કરો ત્યારે ફોન નેટવર્કથી બહાર થઈ જાય છે. આનાથી ઘણી સેવાઓ બંધ થઈ ગઈ છે. જેમાં જીપીએસ, બ્લૂટૂથ અને વાઇફાઇનો સમાવેશ થાય છે.
આ બધામાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આના કારણે ઇન્ટરનેટ અને કોલિંગ સેવા બંધ થઈ જાય છે. ફલાઈટ મોડ ઓન થયા બાદ ફોન નથી કરી શકતા અને આવી પણ શકતા. આ મોડમાં તમે મૂવીઝ અને વીડિયો જોવા અથવા ફોન પર સંગીત સાંભળવા જેવી પ્રવૃત્તિઓ કરી શકો છો.
ફ્લાઇટ દરમિયાન પાઇલટ હંમેશા કંટ્રોલ રૂમના સંપર્કમાં રહે છે. આ સંપર્ક રેડિયો સિગ્નલ દ્વારા કરવામાં આવે છે. આ પ્લેનની નેવિગેશન અને કોમ્યુનિકેશન સિસ્ટમમાં મદદ કરે છે. મોબાઈલ ફોન પણ ટાવર સાથે સતત સિગ્નલ કનેક્ટ કરતો રહે છે. મોબાઈલમાંથી નીકળતા સિગ્નલ અન્ય સ્થળોની કોન્ટેક્ટ સિસ્ટમ સાથે જોડાવા લાગે છે. જેનાથી પાયલોટ અને કંટ્રોલ રૂમ વચ્ચે વાતચીતમાં અવરોધ ઉભો થયો છે.
ફ્લાઈટ મોડ ન કરવાથી કંટ્રોલ રૂમમાંથી જે માહિતી મોકલવામાં આવી રહી છે તે પાયલોટ સ્પષ્ટ સાંભળી શકતા નથી અને અકસ્માતની સંભાવના વધી જાય છે. જેના કારણે પ્લેન ક્રેશ થવાની શક્યતા વધી જાય છે. આ જ કારણ છે કે ફ્લાઈટમાં ફોનને ફ્લાઈટ મોડમાં રાખવા માટે કહેવામાં આવે છે.












Click it and Unblock the Notifications
