Egg Veg or Non Veg: ઈંડા શાકાહારી છે કે માંસાહારી? મળી ગયો વૈજ્ઞાનિક જવાબ
ઘણા સમયથી આ ચર્ચા ચાલી રહી છે કે ઈંડા શાકાહારી છે કે માંસાહારી? આ ચર્ચાનો અંત નથી પરંતુ વૈજ્ઞાનિકોએ આ ચર્ચાનો જવાબ શોધી લીધો છે.
નવી દિલ્લીઃ ઘણા સમયથી આ ચર્ચા ચાલી રહી છે કે ઈંડા શાકાહારી છે કે માંસાહારી? લોકો જુદી જુદી દલીલો વડે પોતાની વાત સાબિત કરવાનો પ્રયાસ કરતા રહે છે, કેટલાક કહે છે કે મુરઘી ઈંડા આપે છે તેથી તે માંસાહારી છે, પરંતુ કેટલાક લોકોએ આ દલીલને એમ કહીને કાપી નાખી કે દૂધ પણ પશુઓ જ આપે છે તો તે પણ માંસાહારી થયુ? એટલે કે દૂધ શાકાહારી છે તો ઈંડા પણ? આ ચર્ચાનો અંત નથી પરંતુ વૈજ્ઞાનિકોએ આ ચર્ચાનો જવાબ શોધી લીધો છે.

ઈંડા શાકાહારી છે કે માંસાહારી?
ઈંડા શાકાહારી છે કે માંસાહારી આના પર હવે ચર્ચાનો અંત લાવી દો કારણ કે વૈજ્ઞાનિકોએ તેનો વૈજ્ઞાનિક જવાબ શોધી કાઢ્યો છે. મોટાભાગના લોકો એમ વિચારીને ઈંડા નથી ખાતા કે તે માંસાહારી છે કારણ કે તે મુરઘીમાંથી નીકળે છે પરંતુ અમે તમને જણાવી દઈએ કે બજારમાં મળતા મોટા ભાગના ઈંડા અનફર્ટિલાઈઝ્ડ હોય છે એટલે કે આ ઈંડામાંથી બચ્ચા ક્યારેય બહાર નથી આવી શકતા. વૈજ્ઞાનિકોએ આ અંગે વિસ્તૃત માહિતી આપી છે. તેમણે કહ્યુ કે ઈંડામાં 3 લેયર હોય છે જેમાં ટૉપ લેયર છાલ, બીજો સફેદ ભાગ albumen અને ત્રીજો ઈંડાની જરદી એટલે કે yolk હોય છે. સંશોધનમાં જાણવા મળ્યુ છે કે સફેદ ભાગ માત્ર પ્રોટીન છે જેમાં કોઈ એનિમલ સબ્સટન્સ હોતુ નથી. એટલે કે ઈંડાનો સફેદ ભાગ સંપૂર્ણપણે વેજ હોય છે.

અનફર્ટિલાઈઝ્ડ ઈંડા
પ્રોટીન ઉપરાંત ઇંડાની જરદીમાં કોલેસ્ટ્રોલ અને ચરબી હોય છે. બજારમાં મળતા મોટાભાગના ઈંડા અનફર્ટિલાઈઝ્ડ ઈંડા હોય છે એટલે કે જરૂરી થી કે ઈંડાં મૂકવા માટે મુરઘી, મુરઘાના સંપર્કમાં આવી હોય. જ્યારે મરઘી 6 મહિનાની થાય છે ત્યારે તે ઇંડા આપવાનુ શરૂ કરે છે. અનફર્ટિલાઈઝ્ડ ઈંડુ ક્યારેય બચ્ચા પેદા કરતુ નથી. એટલે કે ઈંડામાં બચ્ચાનો કોઈ ભાગ નથી એટલે કે ઈંડુ માંસાહારી નથી પણ શાકાહારી છે.

શું છે ઈંડાનો ફંડા
હવે સવાલ એ થાય છે કે જો બજારમાં મળતા ઈંડા શાકાહારી છે તો પછી માંસાહારી ઈંડાની ઓળખ કેવી રીતે થશે. તમને જણાવી દઈએ કે માસાહારી ઈંડા કહેવામાં આવે છે. આ ઇંડામાં ગેમીટ કોષો હોય છે, જે તેમને માંસાહારી બનાવે છે. જો આપણે શાકાહારી અને માંસાહારી ઇંડાને કેવી રીતે ઓળખવા તે વિશે વાત કરીએ તો તે ખૂબ જ સરળ છે. ઇંડાને ખાંચમાં ભરો અને તેની નીચે બલ્બ પ્રગટાવો, જે ઇંડામાંથી પ્રકાશ આરપાર પસાર થશે તે શાકાહારી ઇંડા છે અને જેમાંથી પ્રકાશ પસાર નહિ થાય તે ગેમીટવાળા એટલે કે માંસાહારી ઈંડા છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
