Egg Veg or Non Veg: ઈંડા શાકાહારી છે કે માંસાહારી? મળી ગયો વૈજ્ઞાનિક જવાબ
ઘણા સમયથી આ ચર્ચા ચાલી રહી છે કે ઈંડા શાકાહારી છે કે માંસાહારી? આ ચર્ચાનો અંત નથી પરંતુ વૈજ્ઞાનિકોએ આ ચર્ચાનો જવાબ શોધી લીધો છે.
નવી દિલ્લીઃ ઘણા સમયથી આ ચર્ચા ચાલી રહી છે કે ઈંડા શાકાહારી છે કે માંસાહારી? લોકો જુદી જુદી દલીલો વડે પોતાની વાત સાબિત કરવાનો પ્રયાસ કરતા રહે છે, કેટલાક કહે છે કે મુરઘી ઈંડા આપે છે તેથી તે માંસાહારી છે, પરંતુ કેટલાક લોકોએ આ દલીલને એમ કહીને કાપી નાખી કે દૂધ પણ પશુઓ જ આપે છે તો તે પણ માંસાહારી થયુ? એટલે કે દૂધ શાકાહારી છે તો ઈંડા પણ? આ ચર્ચાનો અંત નથી પરંતુ વૈજ્ઞાનિકોએ આ ચર્ચાનો જવાબ શોધી લીધો છે.

ઈંડા શાકાહારી છે કે માંસાહારી?
ઈંડા શાકાહારી છે કે માંસાહારી આના પર હવે ચર્ચાનો અંત લાવી દો કારણ કે વૈજ્ઞાનિકોએ તેનો વૈજ્ઞાનિક જવાબ શોધી કાઢ્યો છે. મોટાભાગના લોકો એમ વિચારીને ઈંડા નથી ખાતા કે તે માંસાહારી છે કારણ કે તે મુરઘીમાંથી નીકળે છે પરંતુ અમે તમને જણાવી દઈએ કે બજારમાં મળતા મોટા ભાગના ઈંડા અનફર્ટિલાઈઝ્ડ હોય છે એટલે કે આ ઈંડામાંથી બચ્ચા ક્યારેય બહાર નથી આવી શકતા. વૈજ્ઞાનિકોએ આ અંગે વિસ્તૃત માહિતી આપી છે. તેમણે કહ્યુ કે ઈંડામાં 3 લેયર હોય છે જેમાં ટૉપ લેયર છાલ, બીજો સફેદ ભાગ albumen અને ત્રીજો ઈંડાની જરદી એટલે કે yolk હોય છે. સંશોધનમાં જાણવા મળ્યુ છે કે સફેદ ભાગ માત્ર પ્રોટીન છે જેમાં કોઈ એનિમલ સબ્સટન્સ હોતુ નથી. એટલે કે ઈંડાનો સફેદ ભાગ સંપૂર્ણપણે વેજ હોય છે.

અનફર્ટિલાઈઝ્ડ ઈંડા
પ્રોટીન ઉપરાંત ઇંડાની જરદીમાં કોલેસ્ટ્રોલ અને ચરબી હોય છે. બજારમાં મળતા મોટાભાગના ઈંડા અનફર્ટિલાઈઝ્ડ ઈંડા હોય છે એટલે કે જરૂરી થી કે ઈંડાં મૂકવા માટે મુરઘી, મુરઘાના સંપર્કમાં આવી હોય. જ્યારે મરઘી 6 મહિનાની થાય છે ત્યારે તે ઇંડા આપવાનુ શરૂ કરે છે. અનફર્ટિલાઈઝ્ડ ઈંડુ ક્યારેય બચ્ચા પેદા કરતુ નથી. એટલે કે ઈંડામાં બચ્ચાનો કોઈ ભાગ નથી એટલે કે ઈંડુ માંસાહારી નથી પણ શાકાહારી છે.

શું છે ઈંડાનો ફંડા
હવે સવાલ એ થાય છે કે જો બજારમાં મળતા ઈંડા શાકાહારી છે તો પછી માંસાહારી ઈંડાની ઓળખ કેવી રીતે થશે. તમને જણાવી દઈએ કે માસાહારી ઈંડા કહેવામાં આવે છે. આ ઇંડામાં ગેમીટ કોષો હોય છે, જે તેમને માંસાહારી બનાવે છે. જો આપણે શાકાહારી અને માંસાહારી ઇંડાને કેવી રીતે ઓળખવા તે વિશે વાત કરીએ તો તે ખૂબ જ સરળ છે. ઇંડાને ખાંચમાં ભરો અને તેની નીચે બલ્બ પ્રગટાવો, જે ઇંડામાંથી પ્રકાશ આરપાર પસાર થશે તે શાકાહારી ઇંડા છે અને જેમાંથી પ્રકાશ પસાર નહિ થાય તે ગેમીટવાળા એટલે કે માંસાહારી ઈંડા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
