Gate of Hell: આ છે મોતનો દરવાજો, અહીં પહોંચતા જ લોકોનુ થાય છે મોત
Gate of Hell: દુનિયામાં ઘણી વિચિત્ર જગ્યાઓ છે. આમાંથી કેટલીક જગ્યાઓ ખૂબ જ રહસ્યમય અને અનોખી છે, જેના વિશે જાણીને લોકો વિશ્વાસ નહીં કરે. તેમને લગતી ઘણી વાર્તાઓ પ્રચલિત છે. આજે અમે તમને એવી જ એક જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તુર્કીમાં આવેલું છે.
કહેવાય છે કે આ એક એવું મંદિર છે, જ્યાંથી દર્શનાર્થીઓ ક્યારેય પાછા નથી આવતા. આ સ્થાન પર ઘણા લોકોના રહસ્યમય રીતે મોત થયા છે, જેના કારણે અહીં કોઈને જવાની પરવાનગી નથી.

આ રહસ્યમય મંદિર તુર્કીના પ્રાચીન શહેર હેરાપોલિસમાં આવેલું છે. આ જગ્યા વિશે વધારે માહિતી નથી, પરંતુ અહીં રહેતા લોકો જણાવે છે કે અહીં સ્થિત મંદિરની બહાર એક દરવાજો છે, જે વાસ્તવમાં નરકનો દરવાજો છે. વ્યક્તિ તેની નજીક જતા જ મૃત્યુ પામે છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ દરવાજાની નજીક જવા પર માત્ર માણસો જ નહીં પરંતુ પ્રાણીઓ પણ મૃત્યુ પામે છે.
રહસ્યમય મંદિરના દરવાજાને નરકનો દરવાજો કહેવામાં આવે છે. અહીંના લોકોમાં એવી માન્યતા છે કે ગ્રીકો-રોમન કાળ દરમિયાન આ મંદિરમાં એક વ્યક્તિ રહેતો હતો, જેના માથા પર લખાણ હતું. તેનું કારણ આજ સુધી જાણી શકાયું નથી અને તે આજે પણ આ મંદિરમાં મોજૂદ છે. જેના કારણે તે અહીંના લોકોને મારી નાખે છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મંદિરમાં ગ્રીક દેવતાઓ રહે છે. જ્યારે તે શ્વાસ બહાર કાઢે છે, ત્યારે દરવાજા પાસે ઉભેલા લોકો મરી જાય છે. આ સિવાય અહીં ઘણા ધોધ પણ આવેલા છે, જેમાં નહાવાથી વ્યક્તિ બીમારીઓથી મુક્તિ મેળવે છે.
વિજ્ઞાનીઓ માન્યતાઓ કરતાં અલગ અભિપ્રાય ધરાવે છે. તેમનું કહેવું છે કે આ મંદિરની નીચે કાર્બન ડાયોક્સાઈડ સહિત અનેક ઝેરી ગેસ છે, જે મોટી માત્રામાં બહાર આવતા રહે છે. જેના કારણે તેની આસપાસ રહેતા લોકો મૃત્યુ પામે છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 10 ટકા કાર્બન ડાયોક્સાઈડ કોઈ વ્યક્તિ માટે હાનિકારક છે. આ સ્થળે ગેસનું પ્રમાણ 91 ટકા સુધી છે. જેના કારણે માણસો અને પશુ-પક્ષીઓ પણ શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામે છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
