80 વર્ષથી કઈ નથી ખાધું, 1000 વર્ષ સુધી આ રીતે જીવવાનો દાવો
ભારત એક વિવિધતાઓથી ભરેલો દેશ છે. આજે અમે તમને અહીં એક એવા સંત વિશે જણાવવામાં જઈ રહ્યા છે જેમને છેલ્લા 80 વર્ષથી કઈ પણ ખાધું નથી.
ભારત એક વિવિધતાઓથી ભરેલો દેશ છે. આજે અમે તમને અહીં એક એવા સંત વિશે જણાવવામાં જઈ રહ્યા છે જેમને છેલ્લા 80 વર્ષથી કઈ પણ ખાધું નથી. 90 વર્ષના પ્રહલાદ જાનીનો દાવો છે કે તેમને છેલ્લા 80 વર્ષથી કઈ પણ ખાધું નથી. તેમની આસપાસ હંમેશા વિજ્ઞાનીકોની એક ટીમ લાગેલી હોય છે. પ્રહલાદ જાનીનો દાવો છે કે તેમને ક્યારેય પણ ભૂખ લગતી નથી અને તેઓ ટોયલેટ પણ જતા નથી. તેમને જણાવ્યું કે તેમને ભૂખ લગતી નથી અને તેમને કઈ ખાધું પણ નથી, છતાં તેઓ આજ સુધી જીવિત છે.

24 કલાક નજર રાખવામાં આવે છે
પ્રહલાદ જાની સ્થાનીય લોકોમાં ખુબ જ ફેમસ છે. લોકો તેમને ચુનરીવાલી માતાના નામથી ઓળખે છે. પ્રહલાદ જાની ઘ્વારા કરવામાં આવેલા દાવાથી ડીઆરડીઓ વિજ્ઞાનીકો પણ હેરાન છે કે આખરે કઈ રીતે કોઈ વ્યક્તિ આટલા વર્ષ ખાધા વિના રહી શકે. પ્રહલાદ જાની ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેઓ હજાર વર્ષ સુધી આ રીતે જીવિત રહી શકશે. પ્રહલાદ જાની વિશે દેશ વિદેશના તમામ ડોક્ટરો જાણવા માંગે છે. ડીઆરડીઓ વિજ્ઞાનિક ટીમે સીસીટીવી કેમેરા તેમના પર ગોઠવી દીધા છે જેને કારણે 24 કલાક તેમના પર નજર રાખવામાં આવશે.

10 વર્ષની ઉંમરથી જમવાનું છોડ્યું
આપણે જણાવી દઈએ કે પ્રહલાદ જાનીનો જન્મ 13 ઓગસ્ટ 1929 દરમિયાન થયો હતો અને ફક્ત 10 વર્ષની ઉંમરે આધ્યાત્મિક જીવન માટે તેમને પોતાનું ઘર છોડી દીધું. એક વર્ષ સુધી તેમ અંબા માતાની ભક્તિમાં ડૂબેલા રહ્યા અને ત્યારપછી તેઓ સાડી, સુંદૂર અને નાકમાં નથ પહેરવા લાગ્યા. તેઓ પુરી રીતે મહિલાઓ જેવો શૃંગાર કરે છે. છેલ્લા 50 વર્ષથી પ્રહલાદ જાની ગુજરાતના અમદાવાદ થી 180 કિલોમીટર દૂર પહાડી પર અંબાજી મંદિરની ગુફા પાસે રહે છે.

ગંભીર બિમારીઓનો ઉપચાર છે
પ્રહલાદ જાનીનો દાવો છે કે તેઓ એવી ઘણી ગંભીર બિમારીઓનો ઉપચાર કરી શકે છે જેનો ઉકેલ ડોક્ટરો પાસે પણ નથી. તેમનો દાવો છે કે તેઓ એચઆઇવી, એડ્સ જેવી ગંભીર બિમારીઓનો ઉપચાર ફક્ત એક ફળ આપીને કરી શકે છે. એટલું જ નહીં પરંતુ તેઓ નિઃસંતાન વ્યક્તિઓનો પણ ઉપચાર કરી શકે છે. ગુજરાતના જસવંત પટેલે જણાવ્યું છે કે માતાજી ઘ્વારા સેંકડો બિમારીનો ઉપચાર કરવામાં આવ્યો છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
