ભારતમાં મોટા સંકટની આગાહી, જાણો બાબા વેંગાની ભવિષ્યવાણી
વિશ્વના પ્રસિદ્ધ પયગંબરોમાં બલ્ગેરિયન પયગંબર બાબા વેંગાનો પણ સમાવેશ થાય છે. બાબા વેંગા તેમની આગાહીઓ માટે સમગ્ર દુનિયામાં જાણીતા છે. બાબા વેંગાએ વર્ષ 2022 માટે ઘણી ભવિષ્યવાણીઓ પણ કરી હતી. આ આગાહીઓમાં ઘણી ખતરનાક પણ છે.
Prediction of Baba Vanga : વિશ્વના પ્રસિદ્ધ પયગંબરોમાં બલ્ગેરિયન પયગંબર બાબા વેંગાનો પણ સમાવેશ થાય છે. બાબા વેંગા તેમની આગાહીઓ માટે સમગ્ર દુનિયામાં જાણીતા છે. બાબા વેંગાએ વર્ષ 2022 માટે ઘણી ભવિષ્યવાણીઓ પણ કરી હતી. આ આગાહીઓમાં ઘણી ખતરનાક પણ છે. બલ્ગેરિયામાં બાબા વેંગા બાલ્કન પ્રદેશના નોસ્ટ્રાડેમસ તરીકે ઓળખાતા રહસ્યવાદી ફકીર હતા.
11 ઓગસ્ટ, 1996ના રોજ તેમનું અવસાન થયું
બાબા વેંગાએ 5079 સુધી ભવિષ્યવાણી કરી હતી. બલ્ગેરિયાના અંધ બાબા વેંગા વિશ્વના એવા પયગંબરોમાંથી એક છે, જેમને આખું વિશ્વમાને છે.
બાબા વેંગાની આંખો 12 વર્ષની ઉંમરે ખરાબ થઈ ગઈ હતી. 11 ઓગસ્ટ, 1996ના રોજ તેમનું અવસાન થયું. આ અગાઉ તેમણે વિશ્વના અંતથી લઈને યુદ્ધ અને આફતની આગાહી કરી હતી. તો આવો જાણીએ બાબા વેંગાની કેટલી ભવિષ્યવાણીઓ સાચી પડી છે.
12 વર્ષની ઉંમરે આંખોની રોશની ગુમાવી
બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ ખોટી સાબિત થઈ છે, જ્યારે કેટલીક આગાહીઓ સાચી પડી છે. જન્મેલા વેંગેલિયા પાંડેવા દિમિત્રોવા,પ્રબોધિકા બાબા વેંગા બલ્ગેરિયન ગામમાં સ્ટ્રુમિકામાં ઉછર્યા હતા. જ્યારે તે માત્ર 12 વર્ષના હતા, ત્યારે વાવાઝોડાને કારણે તેમણે તેમનીઆંખોની રોશની ગુમાવી દીધી હતી.
વિશ્વના અંતની ભવિષ્યવાણી
બાબા વેંગાએ જણાવ્યું હતું કે, તેમની આંખોની રોશની ગુમાવ્યા પછી, તેમને આગાહી કરવાની શક્તિ મળી.
તેમણે કહ્યું કે, 5079માં દુનિયાનો અંત આવશે. બાબા વેંગાની ભવિષ્યવાણી દર વર્ષે જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવે છે. બાબા વેંગાની આગાહીઓ ક્યારેક લોકોને ચિંતામાંમૂકે છે.
ભારતમાં ભૂખમરો ઉભો થશે
પ્રબોધક બાબા વેંગાએ આગાહી કરી હતી કે, તીડ ભારતમાં પાક અને ખેતરો પર હુમલો કરશે. જેના કારણે દેશમાં ભૂખમરો ઉભો થઈ શકે છે.
આ સિવાય ભારતને દુષ્કાળ જેવી આફતનો સામનો કરવો પડી શકે છે. વર્ષ 2020માં રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત દેશનાઘણા રાજ્યોમાં તીડએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પાકને ભારે નુકસાન થયું હતું.
સાચી પડી છે આ આગાહીઓ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાબા વેંગાએ અમેરિકામાં આતંકવાદી સંગઠન અલ કાયદાનો 9/11નો હુમલો, બ્રેક્ઝિટ, બરાક ઓબામાનારાષ્ટ્રપતિ બનવું, 2004માં સુનામી સહિત અનેક ભવિષ્યવાણીઓ કરી હતી.
બાબા વેંગાએ 2017 સુધીમાં યુરોપના 'અસ્તિત્વ'ના અંતની આગાહી
બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે, સ્ટીલ પક્ષીઓનો હુમલો અમેરિકન ભાઈઓના પતન અને નિર્દોષ લોકોના લોહી તરફ દોરી જશે. તેને ન્યૂયોર્કમાં 9/11ના આતંકવાદી હુમલાની આગાહી માનવામાં આવે છે. બાબા વેંગાએ 2017 સુધીમાં યુરોપના 'અસ્તિત્વ'ના અંતની આગાહી કરી હતી, જેને તે બ્રેક્ઝિટ સાથે સાંકળે છે.
તેમની આગાહી ખોટી પડી
એવું માનવામાં આવે છે કે, બાબા વેંગાએ બરાક ઓબામા વિશે સૌથી સાચી ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમેરિકાના 44મારાષ્ટ્રપતિ અશ્વેત હશે, જે સાચુ સાબિત થયું, પરંતુ તેમની આગાહી ખોટી પડી કે, તેઓ અમેરિકાના છેલ્લા રાષ્ટ્રપતિ હશે.