મોત બાદ વર્ષો સુધી આ અંગોને જીવીત રાખી શકાય છે, થઈ શકે છે ટ્રાન્સપ્લાન્ટ
સામાન્ય રીતે કોઈપણ માણસનું મોત થતા જ તેના તમામ અંગો કામ કરવાનું બંધ થઈ જાય તેવી લોકોમાં ધારણા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ધારણા ખોટી છે. માણસના શરીરમાં ઘણા એવા અંગો છે જે મોતના કલાકો સુધી કામ કરતા રહે છે.
માણસના મોત બાદ તેને ફરીથી જીવતો કરવો શક્ય નથી, પરંતુ તેનામાં રહેલા ઘણા અંગો એવા છે જે મરણ પથારીએ પડેલા વ્યક્તિને જીવીત કરી શકે છે. હૃદય ધબકતું બંધ થઈ જાય પછી મગજમાં ઓક્સિજનનો પુરવઠો પણ બંધ થઈ જાય છે અને બાકીના અંગો ધીમે ધીમે નિષ્ક્રિય થવા લાગે છે.

જે લોકો અંગ દાન કરે તેના મૃત્યુ પછી તેમના શરીરના ઘણા ભાગો કાઢીને અન્ય દર્દીઓને આપવામાં આવે છે. મોટાભાગના કેસમાં આંખોનું દાન કરવામાં આવે છે. મૃત્યુ પછીના 6 કલાકમાં આંખોને શરીરમાંથી ટ્રાન્સપ્લાન્ટ કરી દેવી જરૂરી છે. આ પછી આંખો નેત્ર બેંકમાં રાખવામાં આવે છે અને જરૂરિયાતમંદ દર્દીઓ પર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. મૃત માણસના શરીરમાં આંખો 6 થી 8 કલાક સલામત રહે છે.
આંખો ઉપરાંત કિડની, હૃદય અને લીવર પણ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. આ અંગોના કોષો મૃત્યુ પછી પણ કામ કરવાનું ચાલુ રાખે છે. તેને મૃત્યુના થોડા કલાકોમાં બહાર કાઢવામાં આવે તો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. મૃત્યુ પછીના 4 થી 6 કલાકમાં હૃદય બીજા દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવુ પડે છે. આ સિવાય કિડની 72 કલાક અને લીવર 8 થી 12 કલાક જીવંત રહે છે.
શરીરના સૌથી વધુ સમય જીવતા રહેતા અંગો ત્વચા અને હાડકા છે. આ બન્ને અંગોને 5 વર્ષ સુધી જીવીત રાખી શકાય છે. હૃદયના વાલ્વને 10 વર્ષ સુધી જીવંત રાખી શકાય છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ









Click it and Unblock the Notifications
