Viral News: નસબંધી બાદ પણ થયું બાળક, તો યુવકે કર્યો ક્લિનિક પર કેસ, વાંચો વિચિત્ર કિસ્સો
Viral News in Gujarati: તમે તમારા ઘરમાં માત્ર એટલા જ બાળકોને જન્મ આપી શકો છો, જેટલા તમે ખુશીથી ઉછેરી શકો અને તેમને સારું જીવન આપી શકો. આ જ કારણ છે કે, લોકોને પરિવાર નિયોજનની વિવિધ પદ્ધતિઓ વિશે જણાવવામાં આવે છે.
ખાસ કરીને પુરુષોમાં નસબંધી એ સૌથી સલામત વિકલ્પ માનવામાં આવે છે. આવામાં જો નસબંધીનું ઓપરેશન પણ તેને બાળકોને જન્મ આપતા રોકી ન શકે તો? આવો જ એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે.
ઓડિટી સેન્ટ્રલના અહેવાલ મુજબ, રશિયાના એક વ્યક્તિનું કહેવું છે કે, તેણે નસબંધીનું ઓપરેશન પણ કરાવ્યું હતું. આવી સ્થિતિમાં, જો તેને બીજું બાળક રહે છે, તો તેના માટે ક્લિનિક અને ડૉક્ટર જવાબદાર છે. તે આ મામલાને કોર્ટમાં લઈ જવાના મૂડમાં છે, જેથી તેનો ઉકેલ મળી શકે.
નસબંધી પછી બાળકનો જન્મ કેવી રીતે થયો? - આ કેસ 2022થી શરૂ થયો હતો. મેક્સિમ નામનો રશિયન માણસ ચોથા બાળકનો પિતા બન્યો હતો. 45 વર્ષીય મેક્સિમે નક્કી કર્યું કે, તે નસબંધી કરાવશે કારણ કે તેને વધુ બાળકો નથી જોઈતા.
આ માટે, તે પ્રોમેડિસિના નામના સ્થાનિક ક્લિનિકમાં ગયો અને લગભગ 28 હજાર રૂપિયા ચૂકવીને તેનું ઓપરેશન કરાવ્યું હતું. આ પછી તે સ્વસ્થ હતો અને તેનું જીવન સરળ રીતે ચાલી રહ્યું હતું.
જોકે, ગયા વર્ષે મેક્સિમને આઘાત લાગ્યો, જ્યારે તેની પત્નીએ તેને જણાવ્યું કે, તે ફરીથી ગર્ભવતી છે. તેનું પાંચમું બાળક થયા પછી તે વ્યક્તિ ક્લિનિક પર પહોંચ્યો અને તેણે આખી વાત જણાવી હતી.

હવે મામલો કોર્ટમાં પહોંચશે - ક્લિનિકે તેને પિતૃત્વ પરીક્ષણ કરાવવાનું કહ્યું હતું. પરીક્ષણના પરિણામોથી જાણવા મળ્યું કે, તે તેના તમામ બાળકોના પિતા છે અને ભવિષ્યમાં પણ પિતા બની શકે છે.
ક્લિનિકે આ કેસને ચમત્કાર ગણાવ્યો અને માણસને કહ્યું કે, તે ખુશ રહે. જોકે તેણે ઓપરેશન માટે પૈસા પરત કરવાની પણ ઓફર કરી હતી, મેક્સિમે ઇનકાર કર્યો હતો.
તે કહે છે કે, તે આ મામલાને કોર્ટમાં લઈ જશે, જેથી તેને તેના નૈતિક નુકસાન અને તેના પાંચમા બાળકના ઉછેર માટે વળતર મળી શકે.
ઉલ્લેખનીય છે કે, આવો જ એક કિસ્સો કોલંબિયામાં બન્યો છે, જેમાં કોર્ટે નસબંધીનું ઓપરેશન ખોટું કરનાર ડૉક્ટર પાસેથી બાળકના ઉછેર માટે માતા-પિતાને વળતર આપ્યું હતું.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
