આવતા વર્ષે શરૂ થશે ત્રીજું વિશ્વ યુદ્ધ અને 7 મહિના ચાલશે, જાણો નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણી
શું વિશ્વમાં રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ત્રીજા વિશ્વ યુદ્ધની શક્યતા છે? પૂર્વ ફ્રાન્સના જ્યોતિષી નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણી મુજબ આવતા વર્ષે વિશ્વમાં ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થવાનું છે.
શું વિશ્વમાં રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ત્રીજા વિશ્વ યુદ્ધની શક્યતા છે? પૂર્વ ફ્રાન્સના જ્યોતિષી નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણી મુજબ આવતા વર્ષે વિશ્વમાં ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થવાનું છે.

નોસ્ત્રાડેમસે કરી આગાહી
ધ સનના અહેવાલ મુજબ, નોસ્ત્રાડેમસ ફ્રાન્સનો એક જ્યોતિષ હતો. જેનો જન્મ 16મી સદીમાં થયો હતો. તે સમય દરમિયાન, તેમને ભવિષ્યમાં બનવાની ઘણી વૈશ્વિકઘટનાઓ વિશે આગાહી કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે, આમાંની એક આગાહી રસિયા-યુક્રેન યુદ્ધની પણ હતી, જે હવે સાચી સાબિત થઈ રહી છે.
એવું માનવામાં આવે છે કે નોસ્ત્રાડેમસે એમ પણ કહ્યું હતું કે, રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થશે, પરંતુ વિવિધ દેશો વચ્ચેના મતભેદોની ચિનગારી અંદરથી ભડકતીરહેશે. જેના કારણે આવતા વર્ષે પૂર્વ યુરોપમાં એક મોટું યુદ્ધ શરૂ થશે. આ સ્પષ્ટપણે ત્રીજું વિશ્વ યુદ્ધ હશે.

ત્રીજું વિશ્વ યુદ્ધ 7 મહિના ચાલશે
નોસ્ટ્રાડેમસ એમ પણ કહે છે કે, આ વિશ્વ યુદ્ધ-3 લગભગ 7 મહિના સુધી ચાલશે અને આ દરમિયાન વિશ્વભરમાં લાખો લોકો માર્યા જશે.
નોસ્ત્રાડેમસના મતે એ યુદ્ધમાંવિશ્વમાં પ્રચંડ આગ લાગશે અને અનેક દેશોનું અસ્તિત્વ ખતમ થઈ જશે. બચી ગયેલા લોકો વિશ્વમાં નવેસરથી માનવ જીવનની શરૂઆત કરશે. આનાથી વિશ્વમાં એકનવો વર્લ્ડ ઓર્ડર પણ શરૂ થશે.
એવું માનવામાં આવે છે કે, તેણે વર્ષ 2022માં યુરોપમાં યુદ્ધ શરૂ થવાની આગાહી કરી છે. આ યુદ્ધ ધીમે ધીમે આગળ વધશે અને ત્રીજા વિશ્વ યુદ્ધનું સ્વરૂપ લેશે, જેમાંઅન્ય દેશો પણ પાછળથી જોડાશે.

લગભગ 70 ટકા આગાહીઓ પૂરી થઈ
આજથી લગભગ 450 વર્ષ પહેલાં નોસ્ત્રાડેમસનું અવસાન થયું હતું. તેણે પોતાના જીવનમાં 6,338 ભવિષ્યવાણીઓ કરી હતી. એવું માનવામાં આવે છે કે, આઆગાહીઓમાંથી 70 ટકા અત્યાર સુધી પૂર્ણ થઈ ગઈ છે.
તેમની કેટલીક આગાહીઓ સાચી પડી જેમાં જર્મનીમાં એડોલ્ફ હિટલરનો ઉદય, બીજુ વિશ્વયુદ્ધ, 11 સપ્ટેમ્બરનાઆતંકવાદી હુમલા, ફ્રેંચ ક્રાંતિ અને અણુ બોમ્બનો વિકાસ શામેલ છે.
નોસ્ત્રાડેમસે પણ વર્ષ 2020માં કોરોના વાયરસ મહામારીના આગમનની આગાહી કરી હતી, જે સાચી સાબિત થઈ હતી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે, તેનીભવિષ્યની આગાહીઓ પણ સાચી પડી શકે છે.

પરમાણુ યુદ્ધની ધમકી
હાલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઝડપથી ઉપયોગ થઈ રહ્યો છે. જો કે, ચાર-પાંચ દાયકા પહેલા તેનું અસ્તિત્વ ન હતું, પરંતુ તે સમયે પણ નોસ્ત્રાડેમસે તેનીઆગાહીઓમાં તેનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે આગાહી કરી હતી કે, 2022 સુધીમાં પૃથ્વી પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અથવા રોબોટ્સનો હિસ્સો વધશે. આવી સ્થિતિમાંતેમના આતંકીઓ પણ જોવા મળી શકે છે. આ સિવાય તેમણે પરમાણુ યુદ્ધનો પણ સંકેત આપ્યો હતો.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
