7th Pay Commission: સરકારી કર્મચારીઓને મળશે ભેટ, મોંઘવારી ભથ્થા બાદ હવે ગ્રેચ્યુટી લિમિટ વધી
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. મોંઘવારી ભથ્થામાં વધારા બાદ કર્મચારીઓને વધુ એક સારા સમાચાર મળ્યા છે. ડીએમાં 4 ટકાના વધારા બાદ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને વધારીને 50 ટકા કરી દીધો છે. મોંઘવારી ભથ્થામાં વધારા બાદ અન્ય ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
ગ્રેચ્યુટીમાં વધારો - DAમાં વધારા સાથે, કેન્દ્રીય કર્મચારીઓના ઘણા ભથ્થાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ સુધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓની ગ્રેચ્યુઈટી અને ડેથ ગ્રેચ્યુઈટીમાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ ગ્રેચ્યુઈટી અને ડેથ ગ્રેચ્યુઈટી 25 ટકા વધીને 20 લાખથી 25 લાખ રૂપિયા થઈ ગઈ છે.
આ વધારો જાન્યુઆરી 2024થી લાગુ થશે. હવે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા આ સંબંધમાં એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. 30 મેના રોજ, પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા તમામ મંત્રાલયોને 7મા પગાર પંચની ભલામણોમાં સરકારના નિર્ણયનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

નિવૃત્તિ ગ્રેચ્યુઈટી અને ડેથ ગ્રેચ્યુઈટી 20 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરાઇ - કેન્દ્ર સરકારે રિટાયરમેન્ટ ગ્રેચ્યુઈટી અને ડેથ ગ્રેચ્યુઈટીમાં 25 ટકાનો વધારો કર્યો છે. આ વધારા બાદ ગ્રેચ્યુઈટી 20 લાખ રૂપિયાથી વધીને 25 લાખ રૂપિયા થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે માર્ચ 2024માં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. જે બાદ ડીએ 50 ટકા પર પહોંચી ગયો હતો. ડીએમાં 50 ટકાનો ઘટાડો કર્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓના ઘણા ભથ્થામાં વધારો થયો છે.
શું છે ગ્રેચ્યુઈટી? - નોકરી કરતા લોકોને ગ્રેચ્યુઈટી આપવામાં આવે છે. તે સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને આપવામાં આવે છે. કંપનીમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ કે તેથી વધુ સમય સુધી સતત કામ કરતા કોઈપણ કર્મચારીને ગ્રેચ્યુઈટી ચૂકવવામાં આવે છે.
પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ, 1972 મુજબ, આ રકમ તેમને નિવૃત્તિ અથવા નોકરી છોડવા પર આપવામાં આવે છે. આ રકમ મેળવવા માટે એ જરૂરી છે કે, કર્મચારી ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી સંસ્થામાં સતત કામ કરે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
