PFમાં 8.5 ટકા વ્યાજને મંજૂરી

એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ના સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફન્ડ કમિશનર અનિલ સ્વરૂપનું કહેવું છે કે નાણાં મંત્રાલયે વર્ષ 2012-13 માટે 8.5 ટકા વ્યાજના દરને મંજૂરી આપી છે. આ અમલ તાત્કાલિક રીતે અમલમાં આવશે.
નોટિફિકેશનમાં જણાવાયું છે કે સરકારે મંજૂરી આપી દેતાં ઈપીએફઓ 8.5 ટકાના દરે ક્લેમ સેટલ કરશે અને રકમ ધારકોના ખાતામાં જમા કરી દેશે. ઈપીએફઓની સર્વોચ્ચ નિર્ણયાત્મક સમિતિ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટી)એ ગઈ 25 ફેબ્રુઆરીએ વર્ષ 2012-13 માટે ધારકોને ચૂકવાતા વ્યાજનો દર વધારીને 8.5 ટકા કરવાનો નિર્ણય લીધો હતો.












Click it and Unblock the Notifications
