જાણો : કેવી ફિક્સ્ડ ડિપોઝિટ પર કેટલો TDS લાગશે?
ભારતમાં વિવિધ રોકાણના સાધનો પર ટેક્સ ડિડક્ટેડ ફ્રોમ સોર્સ (TDS - ટીડીએસ) અલગ અલગ હોય છે. ટીડીએસ બીજું કશું નહીં પણ સીધા તમારા આવકના સ્રોતમાંથી કપાતો ટેક્સ છે.જો આપની વ્યાજની આવક નિર્ધારિત મર્યાદા કરતા વધે તો આપને ટેક્સ ભરવો પડે છે. આ માટે એ જાણવું હિતાવહ રહેશે કે ટીડીએસ ક્યારે, કેટલો લાગે છે.

બેંક ફિક્સ્ડ ડિપોઝિટ
બેંક ડિપોઝિટના કિસ્સામાં વ્યાજની આવક રૂપિયા 10,000થી વધી જાય તો તેના પર 10 ટકા ટેક્સ લાગે છે. આ ઉપરાંત તેના પર 3 ટકાની એજ્યુકેશન સેસ પણ લાગે છે. આ કારણે ઉદાહરણ તરીકે આપે રૂપિયા 1.20 લાખની બેંક એફડી મુકી છે તો 10 ટકાના વ્યાજ તરીકે આપને વાર્ષિક રૂપિયા 12,000 વ્યાજ મળે છે. આ વ્યાજ પર 10.3 ટકા ટેક્સ લાગે છે એટલે કે 1260 રૂપિયા કર લાગતા આપના હાથમાં માત્ર રૂપિયા 10,740 રૂપિયા આવક આવે છે. જો આપની આવક કરપાત્ર ના થાય તો આપે બેંકમાં ફોર્મ 15H/15G જમા કરાવવું પડે છે.

કંપની ફિક્સ્ડ ડિપોઝિટ
કંપની ડિપોઝિટ પર વાર્ષિક રૂપિયા 5,000થી વધારે વ્યાજની આવક હોય તો ટેક્સ લાગે છે. જો આપની આવક કરપાત્ર ના થાય તો આપે બેંકમાં ફોર્મ 15H/15G જમા કરાવવું પડે છે.

એનસીડી પર ટીડીએસ
નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ અથવા એનસીડીમાં કંપની અને બેંક ડિપોઝિટ કરતા ઊંચો વ્યાજદર મળે છે. તેના વ્યાજ પર મળતી આવક કરપાત્ર છે અને ટીડીએસ કપાય છે.

કોર્પોરેટ્સ
વ્યક્તિઓ બાદ કોર્પોરેટ ક્ષેત્રમાં પણ ટીડીએસ લાગુ પડે છે. કોર્પોરેટને એજ્યુકેશન સેસ સાથે 20.3 ટકા ટેક્સ લાગે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ











Click it and Unblock the Notifications
