PNB કૌંભાડ પછી ઓબીસીમાં પણ જ્વેલરે કર્યું 389 કરોડની ઠગાઇ
દિલ્હીના એક જ્વેલરે ઓરિએન્ટલ બેંક ઓફ કોર્મસ સાથે છેતરપીંડી કરી છે. જે મામલે બેંકે સીબીઆઇમાં કેસ દાખલ કરાવ્યો છે.
પંજાબ નેશનલ બેંક સાથે જ્યાં કરોડો રૂપિયાના કૌંભાડની વાત સમી નથી ત્યાં જ વધુ એક બેંક સાથે ઠગાઇની વાત બહાર આવી છે. દિલ્હીના એક જ્વેલરે ઓરિએન્ટલ બેંક ઓફ કોર્મસ સાથે છેતરપીંડી કરી છે. જે મામલે બેંકે સીબીઆઇમાં કેસ દાખલ કરાવ્યો છે. જાણકારી મુજબ બેંકે આ મામલે લગભગ 6 મહિના પહેલા સીબીઆઇમાં જ્વેલર્સ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પણ સીબીઆઇએ નિરવ મોદી અને પીએનબીની છેતરપીંડી બહાર આવ્યા પછી આ મામલે કેસ દાખલ કર્યો છે. ફરિયાદ મુજબ દિલ્હી સ્થિત જ્વેલર્સે 389.85 કરોડની છેતરપીંડી બેંક સાથે કરી છે.

CBI દાખલ કરી FIR
સીબીઆઇએ આ મામલે દ્વારકા દાસ શેઠ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેજ વિરુદ્ધ આ મામલે છેતરપીંડીની ફરિયાદ નોંધી છે. સીબીઆઇએ સભ્ય શેઠ, રીતા શેઠ, કુષ્ણ કુમાર સિંહ, રવિ સિંહ અને તે સિવાય અન્ય કંપની દ્વારકા શેઠ એસઇજેડ ઇનકોર્પોરેશન વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે. આ મામલે જે રીતે જાણકારી મળી છે તે મુજબ ઓરિએન્ટલ બેંક ઓફ કોર્મસે 2007-12ની વચ્ચે આ કંપનીની અનેક લોન પાસ કરાવી હતી. બેંક દ્વારા કુલ 389 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

શું છે મામલો?
આ દરમિયાન લોનની રાશિ વધતા અને કંપની તરફથી તેની ભરપાઇ ના કરતા, પૈસા ભરવાની વાત કરવામાં આવી હતી. વધુમાં બેંકને તે પણ જાણવા મળ્યું કે કંપનીએ જે લેટર ઓફ ક્રેડિટ જાહેર કર્યું હતો તેનો ઉપયોગ બીજા દેશમાં સોનાની ખરીદી, મોંધી જ્વેલરી અને હિરા ખરીદવા માટે થઇ રહ્યો હતો. જે પછી બેંકે તે અંગે ફરિયાદ નોંધી છે. જે પણ હવે સીબીઆઇ હાલ આ અંગે એફઆઇઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

દેશ છોડી ભાગી ચૂક્યો છે વેપારી
વળી આ કંપનીના માલિક પણ નિરવ મોદીની જેમ જ અત્યાર સુધીમાં વિદેશ ભાગી ચૂક્યા હોવાની વાત પણ બહાર આવી છે. અને સાથે જ જે કંપની સાથે તેણે લેવડ દેવડ કરી છે તેવી કોઇ કંપની ખરેખરમાં અસ્તિત્વમાં જ નહતી તેવું પણ જાણવા મળ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીના ડાયરેક્ટર્સ 10 મહિનાથી પોતાના ઘરે પરત નથી ફર્યા. જો કે આ મામલે હાલ સીબીઆઇ તપાસ કરી રહી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
