એર એશિયા ભારતમાં આ વર્ષે આગમન કરશે

ભારતીય એરલાઇન્સમાં કિંગફિશરના બંધ થયા બાદ સ્પર્ધાત્મકતા ઘટી ગતી. જો કે એર એશિયાના આગમન બાદ હવે ફરી ગળાકાપ હરીફાઇ શરૂ થવાના સંકેત મળી રહ્યા છે. એર એશિયાના મુખ્ય કાર્યપાલક અધિકારી ટોની ફર્નાંડિઝના જણાવ્યા અનુસાર સસ્તી એર એશિયાની સ્ટ્રેટેજી સસ્તી ટ્રાવેલ ટિકીટથી પેસેન્જરોને આકર્ષીને માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની છે.
આ ઉપરાંત ફર્નાંડિઝે એમ પણ જણાવ્યું છે કે અમે ભારતમાં કોઇ અન્ય વિમાન કંપનીનું માર્કેટ તોડવા માટે નથી આવ્યા. અમારો હેતુ માર્કેટમં સ્પર્ધા ઉભી કરીને આગળ વધવાનો છે. અમે અંદાજે 1.2 અબજની વસ્તી ધરાવતા ભારતમાં અમારૂં નવું બજાર બનાવશું. એરલાઇન્સ દ્વારા ભારતમાં ટાટા ગ્રુપ અને દિલ્હીના ઉદ્યોગપતિ અરૂણ ભાટિયા સાથે ફેબ્રુઆરીમાં સંયુકત ઘોષણા પછી ફર્નાંડીઝ પ્રથમવાર ભારતની મુલાકાતે આવ્યા હતા.












Click it and Unblock the Notifications
