Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એર ઈન્ડિયાની 100 ટકા ભાગીદારી વેચશે સરકાર, 17 માર્ચ સુધી બોલી માંગી

એર ઈન્ડિયાની 100 ટકા ભાગીદારી વેચશે સરકાર, 17 માર્ચ સુધી બોલી માંગી

નવી દિલ્હીઃ વ્યાજના બોજા હેઠળ દબાઈ રહેલી સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાની 100 ટકા ભાગીદારી વેચવા માટે સરકારે બોલીઓ મંગાવી છે. બિડ (બોલી) મોકલવાની આખરી તારીખ 17 માર્ચ 2020 છે. આની સાથે જ સરકારે સબ્સિડિયરી કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એરપોર્ટ સર્વિસ કંપની AISATSને પણ વેચવા માટે બોલીઓ મંગાવી છે. એર ઈન્ડિયાના ખાનગીકરણ માટે 7 જાન્યુઆરીએ ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બનેલ એક મંત્રી સમૂહે ખાનગીકરણ સાથે જોડાયેલ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી.

air india

એટલે કે હવે સરકાર એર ઈન્ડિયાની 100 ટકા ભાગીદારી વેચી રહી છે. ગત વર્ષે 76 ટકા શેર વેચવા માટે બોલીઓ મંગાવવામાં આવી હતી. કોઈ ખરીદદાર નહોતો મળી શક્યો. એવામાં સરકારે 100 ટકા ભાગીદારી વેચવાનો ફેસલો લીધો છે. જણાવી દઈએ કે એર ઈન્ડિયા લાંબા સમયથી નુકસાનીમાં ચાલી રહી છે. તેને 2018-19માં 8,556.35 કરોડ રૂપિયાનું નુકસાન થયું. એરલાઈન પર 50,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. આ કારણે જ સરકાર એર ઈન્ડિયાને વેચવા માંગે છે. માર્ચ સુધી વેચાણ પ્રક્રિયા પૂરી કરવાની યોજના છે.

જ્યારે સરકારે સંસદના શીતકાલીન સત્ર દરમિયાન પણ કહ્યું હતું કે સંકટમાંથી પસાર થઈ રહેલ એર ઈન્ડિયાને જો કોઈ નવો ખરીદદાર નહિ મળે તો તેને બંધ કરવી પડી શકે છે. તેની પાછળનું એક કારણ એ પણ છે કે નાનીનાનૂ પૂંજીગત વ્યવસ્થાની મદદથી કંપનીનું રિચાલન યથાવત રાખવું મુશ્કેલ થઈ રહ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X