પાકિસ્તાનને કારણે એર ઇન્ડિયાને રોજ 60 કરોડ રૂપિયાનું નુકશાન
પાકિસ્તાની એરસ્પેસમાં એન્ટ્રીના પ્રતિબંધને કારણે, નવી દિલ્હીથી યુરોપ, ખાડી પ્રદેશ અને અમેરિકા જવા માટે હવે વિમાનોને વધુ મુસાફરી કરવી પડી રહી છે.
પાકિસ્તાની એરસ્પેસમાં એન્ટ્રીના પ્રતિબંધને કારણે, નવી દિલ્હીથી યુરોપ, ખાડી પ્રદેશ અને અમેરિકા જવા માટે હવે વિમાનોને વધુ મુસાફરી કરવી પડી રહી છે. એર ઇન્ડિયાને ફેબ્રુઆરીના અંતથી લઈને અત્યાર સુધીમાં આશરે 300 કરોડ રૂપિયાનું નુકશાન થઇ ચૂક્યું છે. 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધવાના કારણે ભારતીય ઉડાનો માટે પાકિસ્તાની હવાઇ ક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યું છે.

એર ઇન્ડિયાને વધુ ઇંધણ ખર્ચ કરવું પડી રહ્યું છે
નવી દિલ્હીથી ઉડાન ભરનારા વિમાનોની ઉડાન અવધિ વધી જવાના કારણે, એર ઇન્ડિયાને વધારાનું ઇંધણની જરૂર અને કર્મચારીઓ પર થનારા ખર્ચમાં વધારો અને ઉડાનોમાં ઘટાડો થવાને લીધે દૈનિક 6 કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. રાષ્ટ્રીય ઉડ્ડયન સેવા કંપનીએ આ નુકસાનની ભરપાઈ કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો સંપર્ક કર્યો છે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "આ સંદર્ભમાં એર ઇન્ડિયાએ અમને માહિતી આપી છે. તમામ સંબંધિત પક્ષો સાથે તેના પર વિચારણા કરવામાં આવી રહી છે."

મુસાફરી 2 થી 3 કલાક વધી ગઈ છે
પાકિસ્તાની એરસ્પેસ પરના પ્રતિબંધને લીધે, નવી દિલ્હીથી અમેરિકા જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને બે થી ત્રણ કલાક વધુ લાગે છે. તો યુરોપની ફ્લાઇટ્સને લગભગ બે કલાક વધુ સમય લાગે છે, જેના કારણે નાણાંકીય નુકસાન થાય છે.

ભારતીય હવાઈ દળે હવાઈ હુમલો કર્યો હતો
27 મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદ કેમ્પ્સ પર ભારતીય હવાઇ દળ દ્વારા હુમલા પછી, પાકિસ્તાની હવાઇક્ષેત્રમાં ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે નવી દિલ્હીથી યુરોપ અને અમેરિકા માટે વિમાન સેવા સંચાલિત કરનારી મોટા ભાગની એરલાઇન્સ અસરગ્રસ્ત છે. યુનાઇટેડ એરલાઇન્સે અસ્થાયી ધોરણે દિલ્હી-ન્યૂયોર્કની ઉડાન રદ કરી છે અને પરિસ્થિતિ પર તેની નજર છે.

ઉડાનોની દિશા બદલવાની મજબૂરી
એર ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે એરલાઇન માટે યુરોપ અને ઉત્તર અમેરિકાના વિમાનોનું સંચાલન મહત્ત્વનું છે, પરંતુ પાકિસ્તાની એરસ્પેસ પર પ્રતિબંધને કારણે ઉડાનની દિશામાં પરિવર્તનને લઈને અત્યાર સુધી લગભગ 300 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
