21 ડિસેમ્બરથી 5 દિવસ સુધી બેંકિંગ સેવા રહેશે ઠપ્પ, જાણો શું છે કારણ
ડિસેમ્બરમાં સતત પાંચ દિવસો માટે બેંકિંગ સેવા ઠપ્પ રહેવાની છે. હા, 20 ડિસેમ્બર બાદ બેંકિંગ સેવા 5 દિવસો માટે બંધ રહેશે.
જો તમારી પાસે બેંકનું કોઈ કામ બચ્યુ હોય તો તમે તમારુ જરૂરી કામ પતાવી દો. જો તમારે 20 ડિસેમ્બર સુધી પોતાના બેંકિંગ સંબંધી કામ ખતમ ન કર્યા તો તમારે તેના માટે લાંબી રાહ જોવી પડશે. વાસ્તવમાં ડિસેમ્બરમાં સતત પાંચ દિવસો માટે બેંકિંગ સેવા ઠપ્પ રહેવાની છે. હા, 20 ડિસેમ્બર બાદ બેંકિંગ સેવા 5 દિવસો માટે બંધ રહેશે. એટલે તમારે તમારા કામ માટે 26 ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે.

5 દિવસ સુધી બંધ રહેશે બેંકિંગ સર્વિસ
21 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર વચ્ચે પાંચ દિવસ સુધી બેંકો બંધ રહેશે. ઓલ ઈન્ડિયા ઓફિસર કન્ફેડરેશનના આહવાન પર 21 ડિસેમ્બરના રોજ દેશભરના બેંકકર્મીઓ હડતાળ પર જઈ રહ્યા છે. બેંકકર્મી પોતાની માંગો સાથે હડતાળ પર બેસશે. કેન્દ્રની નીતિના વિરોધમાં દેશભરના બેંકકર્મી હડતાળ પર રહેશે. 21 ડિસેમ્બરે બેંકોની હડતાળ છે તેમજ 22 ડિસેમ્બરે ચોથો શનિવાર છે જેના કારણે બેંક બંધ રહેશે.

20 ડિસેમ્બર પહેલા પતાવી દો પોતાનુ ક્મ
23 ડિસેમ્બરે રવિવાર છે જેના કારણે બેંકોમાં રજા રહેશે. 24 ડિસેમ્બરે બેંકોની શાખાઓ ખુલશે પરંતુ સતત ત્રણ દિવસો બાદ બેંક ખુલવાના કારણે બેંકોમાં ભારે ભીડ હશે. જેના કારણે તમને મુશ્કેલી આવી શકે છે. 25 ડિસેમ્બરે ક્રિસમસની રજા હશે અને બેંક ફરીથી બંધ થઈ જશે. 26 ડિસેમ્બરે યુનાઈટેડ ફોરમ તરફથી ફરીથી બેંકોમાં હડતાળ છે.

5 દિવસની રજાથી અટકશે તમારા કામ
બેંકોમાં 5 દિવસની રજાના કારણે ચેકોના ક્લીયરન્સ, ડ્રાફ્ટ બનાવવા સાથે સાથે કેશની પણ મુશ્કેલી સર્જાઈ શકે છે. એટલે સારુ એ રહેશે કે બેંકોની રજા પહેલા તમે તમારા ઘરમાં પર્યાપ્ત કેશની વ્યવસ્થા કરી લો જેથી રજાઓ દરમિયાન તમને કેશની તકલીફ ન પડે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર સામે પોતાની માંગો માટે બેંક કર્મી હડતાળ પર જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારનો ખોટો નિર્ણય, વિલયનો વિરોધ, વેતન વૃદ્ધિમાં વિલંબ, એનપીસી જેવી માંગોને લઈને બેંક કર્મચારી હડતાળ કરશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
