કિંગફિશરની સંપત્તિઓ વેચી બેંકોએ 1000 કરોડ ફંડ મેળવ્યું

આ અંગે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે લેણદારોનું જૂથ આર્થિક કટોકટીમાં સપડાયેલી કિંગફિશર એરલાઈન્સ પાસેથી બાકી નીકળતા નાણાં વસુલ કરવાના પ્રયાસો કરી રહ્યું છે અને રૂપિયા 800થી 1000 કરોડ મેળવી પણ લીધા છે. એસબીઆઈના ચેરમેન પ્રતિપ ચૌધરીના જણાવ્યા મુજબ, કિંગફિશર એરલાઈન્સ પાસેથી નાણાં પાછા મેળવવાના પ્રયાસો ચાલુ જ છે. અમે પૂરતી રકમ રીકવર કરી છે. બેન્કોએ પાછી મેળવેલી રકમનો આંક રૂપિયા 800થી 1000 કરોડ થવા જાય છે.
એસબીઆઈની આગેવાનીમાં આ જૂથમાં 17 બેન્કો જોડાઈ છે. આ બેન્કોએ કિંગફિશર એરલાઈન્સ પાસેથી રૂપિયા 7000 કરોડથી વધારે રકમ લેવાની નીકળે છે. તેની પાસે યુનાઈટેડ સ્પિરીટ્સ જેવી લિસ્ટેડ કંપનીઓના શેર છે, જેનું મૂલ્ય રૂપિયા 500 કરોડ થવા જાય છે. તે ઉપરાંત લેણદારો પાસે સિક્યૂરિટી તરીકે બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
વિજય માલ્યાની માલિકીની એરલાઈન કંપનીમાં એસબીઆઈએ રૂપિયા 1600 કરોડનું મૂડીરોકાણ કર્યું છે. તે પછીના નંબરે આવે છે, પંજાબ નેશનલ બેન્ક (800 કરોડ), આઈડીબીઆઈ (800 કરોડ), બેન્ક ઓફ ઈન્ડિયા (650 કરોડ), બેન્ક ઓફ બરોડા (550 કરોડ). એસબીઆઈના ચૌધરીએ કહ્યું છે કે અમે લેવાની નીકળતી રકમ વસુલ કરવા કિંગફિશર એરલાઈન્સની બધી મિલકતો વેચી દઈશું. આમાં, કંપનીઓના શેરહોલ્ડિંગ, કંપનીઓની રિયલ એસ્ટેટ્સ, પર્સનલ એસેટ્સ વગેરેનો સમાવેશ થાય છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ










Click it and Unblock the Notifications
