આજથી 5 દિવસ સુધી બંધ રહેશે બેંક, આ છે કારણ
આજથી 5 દિવસ સુધી બંધ રહેશે બેંક, આ છે કારણ
નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેંકો આજથી 5 દિવસ સુધી બંધ રહેશે. 21 ડિસેમ્બરથી અધિકારીઓના એક યૂનિયને પોતાની માગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા છે, જેને પગલે આજ બેંકમાં કોઈપણ પ્રકારની કામગીરી થશે નહિ. પાંચ દિવસમાં માત્ર વચ્ચે એક દિવસ માટે બેંક ખુલશે. એવામાં વર્ષના અંતમાં બેંકમાં કોઈ જરૂરી કામના ઈંતેજારમાં બેઠેલા લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ પાંચ દિવસોમાં વિવિધ માગને લઈ બે દિવસ બેંકોની હડતાળ છે અને બાકી ત્રણ દિવસ રજા છે.

વચ્ચે એક દિવસ જ ખુલશે બેંક
બેંકોમાં પાંચ દિવસની રજાને પગલે લોકોને રોકડની તકલીફ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે 21 ડિસેમ્બરે પોતાની માગણીઓને લઈને બેંક અધિકારીઓના એક યૂનિયને હડતાળ બોલાવી છે. જે બાદ 22 ડિસેમ્બર મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે સરકીર રજાને કારણે બેંકો બંધ રહેશે. આગલા દિવસે 23 ડિસેમ્બરે રવિવાર હોવાથી બેંકો નહિ ખુલે. જે બાદ 24 ડિસેમ્બરે બેંકો ખુલશે અને કામકાજ થશે. જો કે સોમવારે 3 બેંક ખુલ્યાની સાથે બેંકોમાં ભીડ રહી શકે છે.

રોકડની તકલીફ પડી શકે
સોમવાર પછી ફરી બે દિવસ માટે બેંકો બંધ રહેશે. 25મી ડિસેમ્બરે ક્રિસમસ હોવાના પગલે તમામ બેંકોનું કામકાજ બંધ રહેશે. જે બાદ 26મી ડિસેમ્બરે બેંક કર્મચારીઓની ટૂનાઈટેડ ફોરમે પોતાની માંગણીઓને લઈને હડતાળ બોલાવી છે, જેને પગલે બેંકો બંધ રહેશે. ત્યારે માત્ર 24 ડિસેમ્બરને બાકાત રાખી 21 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી બેંકોમાં કોઈ કામકાજ નહિં થાય. જો કે બેંક અધિકારીઓનું કહેવું છે કે આ દરમિયાન એટીએમમાં કેશની તકલીફથી બચવા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

3.2 લાખ સભ્યો હડતાળ પર
જણાવી દઈએ કે શુક્રવારે એટલે કે 21 ડિસેમ્બરે ઑલ ઈન્ડિયા બેંક ઑફિસર્સ કન્ફેડરેશને પોતાની માગણીને લઈને હડતાળનું આહ્વાન કર્યું છે. બેંક અધિકારીઓએ ઈન્ડિયન બેંક એસોસિએશનની હડતાળ પરત લેવાની માગણીને એમ કહીને ઠુકરાવી દીધી છે કે વાતચીતના 20 મહિના બાદ પણ તેમની માગણીને પગલે કોઈ નક્કર પગલાં લેવાયાં નથી. 21 ડિસેમ્બરે બેંક અધિકારીઓના યૂનિયનના 3.2 લાખ સભ્યો હડતાળ પર રહેશે. જો કે, બેંક એ સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા કરી રહી છે કે ગ્રાહકોને આ પાંચ દિવસ દરમિયાન કોઈ મોટી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. રોકડની સમસ્યાને પહોંચી વળવા માટે તમામ એટીએમમાં વધુ પ્રમાણમાં કેશ મોકલવામાં આવી રહી છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી







Click it and Unblock the Notifications
