Budget 2019: સરકાર આયુષ્માન ભારત યોજનાના દાયરામાં વધારો કરી શકે છે
આપણે બધા જાણીએ છીએ કે ભારત સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના હેઠળ, ખાનગી હોસ્પિટલોમાં પણ મફત સારવાર સુવિધા માટે જોગવાઈ છે.
આપણે બધા જાણીએ છીએ કે ભારત સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના હેઠળ, ખાનગી હોસ્પિટલોમાં પણ મફત સારવાર સુવિધા માટે જોગવાઈ છે.
તમને જણાવી દઈએ કે Budget 2019 માં, મોદી સરકારની ફ્લેગશિપ યોજના ખાસ કરીને આયુષ્યમાન ભારત(Ayushman Bharat )યોજના પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. અત્યાર સુધીમાં 7 લાખ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. આયુષ્યમાન ભારતના બજેટમાં વધારો કરીને સરકાર આ યોજનાનો મહત્તમ લાભ લોકોને આપવાનું જાહેર કરી શકે છે.
આ પણ વાંચો: Budget 2019: સરકારી વીમા કંપનીઓમાં નાખી શકે છે 4000 કરોડ રૂપિયા

દેશના 10 કરોડ પરિવારોને સામેલ કરવામાં આવ્યા
તમને યાદ કરાવી દઈએ કે 1 ફેબ્રુઆરી 2018 ના રોજ બજેટ 2018 ની જાહેરાત કરતા કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે અમે નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ લોન્ચ કરીશું, જેમાં દેશના 10 કરોડ ઘરોને સામેલ કરવામાં આવશે અને તેમના કુટુંબના 50 કરોડ સભ્યોને દર વર્ષે રૂ. 5 લાખની મફત સારવાર આપવામાં આવશે. જેટલીએ તેને વિશ્વનું સૌથી મોટું સરકારી ફંડવાળા હેલ્થકેર પ્રોગ્રામ તરીકે વર્ણવ્યું હતું.

અગાઉના બજેટમાં 1,200 કરોડ ફાળવવામાં આવ્યા હતા
જણાવી દઈએ કે આરોગ્ય મંત્રાલયથી જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, આ બજેટમાં આયુષ્યમાન-વડા પ્રધાન જન સ્વાસ્થ્ય યોજના માટે વિશાળ ભંડોળની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે. ઘણા રાજ્યોમાં ખાનગી હોસ્પિટલો હાલમાં આ યોજનામાં જોડાવા સક્ષમ નથી. આવા રાજ્યો માટે ખાસ ઘોષણા કરી શકાય છે. અગાઉના બજેટમાં, સરકારે આ માટે 1,200 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. નિષ્ણાતો માને છે કે આ વખતે આ રકમ 20 ટકા સુધી વધી શકે છે.

સારવાર માટે દર વર્ષે 5 લાખ રૂપિયા મફત
યુનિયન જસ્ટિસ અને કાયદા પ્રધાન પ્રસાદે અહીં તેમના નિવાસસ્થાન ખાતે આયુષ્યમાન ભારત યોજનાના ઘણા લાભાર્થીઓને મળ્યા હતા. તેમણે આ દરમિયાન જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રયાસથી, 50 કરોડથી વધુ ગરીબોને આ યોજના હેઠળ દર વર્ષે પાંચ લાખ રૂપિયાની હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવશે.તેમણે જણાવ્યું હતું કે, "આ યોજના શરૂ થયાના 100 થી વધુ દિવસો થયા છે અને 7 લાખથી વધુ ગરીબ લોકોની સારવાર મફત થઇ ચુકી છે."

લાભાર્થીઓએ વડાપ્રધાનને કહ્યું ધન્યવાદ
આ પ્રસંગે, ઘણા લાભાર્થીઓએ તેમની સારવારના અનુભવો જણાવ્યા હતા. મંત્રીને મળવા ગયેલા લાભાર્થીઓએ વડા પ્રધાનનો આભાર માન્યો હતો. મંત્રી પ્રસાદે આ પ્રસંગે ઘણા લાભાર્થીઓને આયુષ્માન ભારતના ગોલ્ડન કૉર્ડની વહેંચણી કરી હતી. પ્રસાદે આ યોજના માટે ચાલતા કોમન સર્વિસ સેન્ટરના સંચાલકોને પણ મળ્યા હતા અને તેમના કાર્યની પ્રશંસા કરી હતી. પ્રસાદે તમામ સર્વિસ સેન્ટર સંચાલકોને આયુષ્યમાન યોજના વિશે ગરીબ કુટુંબોને માહિતી આપવા અને તેમને ગોલ્ડન કોર્ડ આપવા વિનંતી કરી.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
