Budget 2019: સરકાર આયુષ્માન ભારત યોજનાના દાયરામાં વધારો કરી શકે છે
આપણે બધા જાણીએ છીએ કે ભારત સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના હેઠળ, ખાનગી હોસ્પિટલોમાં પણ મફત સારવાર સુવિધા માટે જોગવાઈ છે.
આપણે બધા જાણીએ છીએ કે ભારત સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના હેઠળ, ખાનગી હોસ્પિટલોમાં પણ મફત સારવાર સુવિધા માટે જોગવાઈ છે.
તમને જણાવી દઈએ કે Budget 2019 માં, મોદી સરકારની ફ્લેગશિપ યોજના ખાસ કરીને આયુષ્યમાન ભારત(Ayushman Bharat )યોજના પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. અત્યાર સુધીમાં 7 લાખ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. આયુષ્યમાન ભારતના બજેટમાં વધારો કરીને સરકાર આ યોજનાનો મહત્તમ લાભ લોકોને આપવાનું જાહેર કરી શકે છે.
આ પણ વાંચો: Budget 2019: સરકારી વીમા કંપનીઓમાં નાખી શકે છે 4000 કરોડ રૂપિયા

દેશના 10 કરોડ પરિવારોને સામેલ કરવામાં આવ્યા
તમને યાદ કરાવી દઈએ કે 1 ફેબ્રુઆરી 2018 ના રોજ બજેટ 2018 ની જાહેરાત કરતા કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે અમે નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ લોન્ચ કરીશું, જેમાં દેશના 10 કરોડ ઘરોને સામેલ કરવામાં આવશે અને તેમના કુટુંબના 50 કરોડ સભ્યોને દર વર્ષે રૂ. 5 લાખની મફત સારવાર આપવામાં આવશે. જેટલીએ તેને વિશ્વનું સૌથી મોટું સરકારી ફંડવાળા હેલ્થકેર પ્રોગ્રામ તરીકે વર્ણવ્યું હતું.

અગાઉના બજેટમાં 1,200 કરોડ ફાળવવામાં આવ્યા હતા
જણાવી દઈએ કે આરોગ્ય મંત્રાલયથી જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, આ બજેટમાં આયુષ્યમાન-વડા પ્રધાન જન સ્વાસ્થ્ય યોજના માટે વિશાળ ભંડોળની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે. ઘણા રાજ્યોમાં ખાનગી હોસ્પિટલો હાલમાં આ યોજનામાં જોડાવા સક્ષમ નથી. આવા રાજ્યો માટે ખાસ ઘોષણા કરી શકાય છે. અગાઉના બજેટમાં, સરકારે આ માટે 1,200 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. નિષ્ણાતો માને છે કે આ વખતે આ રકમ 20 ટકા સુધી વધી શકે છે.

સારવાર માટે દર વર્ષે 5 લાખ રૂપિયા મફત
યુનિયન જસ્ટિસ અને કાયદા પ્રધાન પ્રસાદે અહીં તેમના નિવાસસ્થાન ખાતે આયુષ્યમાન ભારત યોજનાના ઘણા લાભાર્થીઓને મળ્યા હતા. તેમણે આ દરમિયાન જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રયાસથી, 50 કરોડથી વધુ ગરીબોને આ યોજના હેઠળ દર વર્ષે પાંચ લાખ રૂપિયાની હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવશે.તેમણે જણાવ્યું હતું કે, "આ યોજના શરૂ થયાના 100 થી વધુ દિવસો થયા છે અને 7 લાખથી વધુ ગરીબ લોકોની સારવાર મફત થઇ ચુકી છે."

લાભાર્થીઓએ વડાપ્રધાનને કહ્યું ધન્યવાદ
આ પ્રસંગે, ઘણા લાભાર્થીઓએ તેમની સારવારના અનુભવો જણાવ્યા હતા. મંત્રીને મળવા ગયેલા લાભાર્થીઓએ વડા પ્રધાનનો આભાર માન્યો હતો. મંત્રી પ્રસાદે આ પ્રસંગે ઘણા લાભાર્થીઓને આયુષ્માન ભારતના ગોલ્ડન કૉર્ડની વહેંચણી કરી હતી. પ્રસાદે આ યોજના માટે ચાલતા કોમન સર્વિસ સેન્ટરના સંચાલકોને પણ મળ્યા હતા અને તેમના કાર્યની પ્રશંસા કરી હતી. પ્રસાદે તમામ સર્વિસ સેન્ટર સંચાલકોને આયુષ્યમાન યોજના વિશે ગરીબ કુટુંબોને માહિતી આપવા અને તેમને ગોલ્ડન કોર્ડ આપવા વિનંતી કરી.
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર? -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ



Click it and Unblock the Notifications
