Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Budget 2019: સરકારી વીમા કંપનીઓમાં નાખી શકે છે 4000 કરોડ રૂપિયા

જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓમાં આગામી બજેટમાં 4,000 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી શકાય છે. આ કંપનીઓની સ્થિતિમાં સુધારો કરવા માટે, સરકાર આ પૂંજી તેમનામાં મૂડી શકે છે.

જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓમાં આગામી બજેટમાં 4,000 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી શકાય છે. આ કંપનીઓની સ્થિતિમાં સુધારો કરવા માટે, સરકાર આ પૂંજી તેમનામાં મૂડી શકે છે. 2019-20ના નાણાકીય વર્ષ માટેનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાની સંભાવના છે.

આ પણ વાંચો: કેન્દ્રિય બજેટ 2019: નોકરિયાત લોકોને મળી શકે છે મોટી ભેટ, ઇનકમ ટેક્સ ક્ષેત્રે થઇ શકે છે મોટો ફેરફાર

ફાઇનાન્શિયલ સર્વિસીઝ ડિપાર્ટમેન્ટે રૂ. 4,000 કરોડની માંગ કરી

ફાઇનાન્શિયલ સર્વિસીઝ ડિપાર્ટમેન્ટે રૂ. 4,000 કરોડની માંગ કરી

જણાવી દઈએ કે સૂત્રોના જણાવ્યા મુજબ ફાઇનાન્શિયલ સર્વિસીઝ ડિપાર્ટમેન્ટે જાહેર ક્ષેત્રની નેશનલ ઇન્શ્યોરન્સ કંપની, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની અને યુનાઈટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીમાં મૂડી નાખવા માટે 4000 કરોડ રૂપિયાની માંગ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે બજેટમાં ફાળવવામાં આવેલી મૂડી પછી, દરેક કંપનીને મૂડી વિભાજિત કરવામાં આવશે.

મોટાભાગની સામાન્ય વીમા કંપનીઓને નફો મેળવવાની સ્થિતિ સારી નથી. આ માટેનું મુખ્ય કારણ પ્રીમિયમમાંથી ઉત્પન્ન થતી આવકની સામે વધુ દાવાને રજુ કરવાને લીધે થતા નુકસાનનું દબાણ છે.

મર્જર માટેની દરખાસ્ત અગાઉના બજેટમાં આપી હતી સરકારે

મર્જર માટેની દરખાસ્ત અગાઉના બજેટમાં આપી હતી સરકારે

એ વાત પર પણ ધ્યાન આપવું આવશ્યક છે કે 2018-19ના બજેટમાં, સરકારે નેશનલ ઇન્શ્યોરન્સ કંપની, ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીના મર્જરની દરખાસ્ત કરી હતી.

તેમના બજેટ ભાષણમાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે આ ત્રણ કંપનીઓનું જોડાણ કરી એક વીમા કંપનીની રચના કરવામાં આવશે. આ વિલીનીકરણ વર્તમાન નાણાકીય વર્ષમાં સંભવતઃ પૂર્ણ કરવામાં આવે.

જો કે, ત્રણ કંપનીઓએ 31 માર્ચ, 2017 સુધી કુલ સામાન્ય વીમા બજારમાં 35 ટકા હિસ્સો ધરાવ્યો હતો. જે 41,461 કરોડના કુલ પ્રીમિયમ સાથે 200 થી વધુ વીમા ઉત્પાદનો ધરાવે છે.

મોદી સરકાર 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે

મોદી સરકાર 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે

આપણે બધા જાણીએ છીએ તેમ, મોદી સરકાર 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે. બજેટ રેલવે પ્રધાન પીયૂષ ગોયલ રજૂ કરશે કારણ કે અરુણ જેટલી અસ્વસ્થ છે અને સારવાર માટે વિદેશમાં છે. આ કારણોસર, નાણા અને કોર્પોરેટ બાબતોનો પ્રભાર ગોયલને આપવામાં આવ્યો છે.

થોડા મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાશે. આવામાં, તમામ ક્ષેત્રો આશા રાખે છે કે બજેટમાં દરેક માટે કંઈક વિશેષ હશે. હવે, એ જોવાનું છે કે આ બજેટ ખરેખર લોકોને રાહત આપે છે કે નહીં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X